ભાવનગર માં કોરોના માં મૃત્યુઆંક વધી ગયો છે ,કોરોનાથી મોતના સરકારી ચોપડે જાહેર કરવામાં આવતા આંકડા સહિત હ્રદયરોગ, ડાયાબીટિસ જેવા રોગ વાળા એક જ દિવસમાં ભાવનગર શહેરમાં 36 દર્દીઓના મોત થયા થયા નું સપાટી ઉપર આવ્યું છે.
ત્રણ દિવસમાં જ અહીં અધધ કહી શકાય તેટલા 100થી વધુ દર્દીઓ ના મોત થયા છે.
ભાવનગર શહેરમાં ચાર સ્મશાનગૃહ કુંભારવાડા, ચિત્રા , ગોરડ અને સુભાષનગર એમ ચાર સ્મશાનગૃહમાં કોરોનાથી મોત થયા હોય તેવા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જેમાં ગોરડ સ્મશાનમાં રાત સુધી વેઇટીંગ હતુ. આજે આ સ્મશાનમાં કુલ 18 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા જ્યારે કુંભારવાડા સ્મશાનમાં 9 તેમજ ચિત્રા ખાતેના સ્મશાનમાં આજે 9 કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર કરાયા હતા.
આમ આજે એક જ દિવસમાં શહેરમાં કોરોનાના 36 દર્દીઓના અંતિમ સંસ્કાર કરાયા હતા. ભાવનગર શહેરમાં પણ હવે સ્મશાનોમાં વેઈટીંગ શરૂ થઈ ગયા છે અને રાત્રે પણ કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે નામ નોંધાવેલા જોવા મળે છે જે સ્થિતિ ની ભયાનકતા દર્શાવે છે.આમ અહીં કોવિડ -અન કોવિડ દર્દીઓ ના મોટાપાયે થઈ રહેલા મોત ને લઈ સ્થિતિ ગંભીર બની રહી છે.