ભાવનગર જિલ્લા માં આવેલ વિશ્વ વિખ્યાત ભગુડાધામ ખાતે માં માંગલ માતાજીના મંદિર નો 25 મો પાટોત્સવ કોરોના ની સ્થિતિ માં હવન કરી માતાજીની પૂજા અર્ચના સાથે સાદગી થી ઉજવાયો હતો. કોરોના મહામારીના કારણે પાટોત્સવના તમામ ભવ્ય કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા હતા.
દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે ભાવનગર ના મહુવા પાસે આવેલ ભગુડા મોગલ ધામ ખાતે ભવ્યથી ભવ્ય માંગલ પાટોત્સવ ધામધૂમ થી ઉજવાય છે અને સંતવાણી અને લોક ડાયરાનું આયોજન થતું હોય છે અને દરેક કલાકારોને માંગલ શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા હોય છે પણ આ વખતે તમામ કાર્યક્રમ મોકૂફ રખાયા હતા. માં મોગલ માતાજીના સાનિધ્યમાં મંદિરનાં આંગણે યજ્ઞ, આરતી અને માતાજીની પૂજા કરવામાં આવી હતી. સાથે જ કોરોના મહામારી ખતમ કરવા માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી. માંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના નિયમનું પાલન કરી પરંપરા મુજબ યજ્ઞ અને માતાજીની પૂજા વિધિ કરવામાં આવી હતી.
માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડાના પ્રમુખ માયાભાઇ આહીર અને ટ્રસ્ટી દ્વારા બધાજ માંગલછોરૂને ઘરે રહીને માં માંગલને આરાધના કરવા વિનંતી કરવામા આવી છે. 2020 થી ચાલતી વૈશ્વિક કોરોનાની મહામારીને કારણે આ વર્ષે પાટોત્સવામાં કરવામાં આવતા બધાજ કાર્યક્રમ મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે હવન સરકારની ગાઇડલાઇનના નિયમો અનુસાર કરવામાં આવ્યો છે. માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા પાટોત્સવ નિમિતે માયાભાઈ કામળિયા, રામભાઈ કામળિયા, કથડભાઈ કામળિયા, લક્ષમણભાઈ કામળિયા સહિતના આગેવાનો હાજર રહયા હતા અને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.