રાજ્યમાં ખુબજ પ્રસિધ્ધ ધામ સાળંગપુર ગામે આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.
આજે મંગળવારને પૂનમ નિમિતે દાદાને દિવ્ય વાઘા ધરાવીને સિંહાસનને ફૂલો વડે શણગારવામાં આવ્યુ હતું.
આજના પાવન અવસરે મંદિર ખાતે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા. 14-06-2022ને મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ શ્રી હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.