ભાવનગરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એસટી વિભાગના વિવિધ ડેપોના લોકાર્પણ તેમજ ખાત મુર્હત કરવામાં આવ્યુ હતું. 125 નવી બસોનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાવનગરના ધારાસભ્ય સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજયમાં 52 કરોડના ખર્ચે નવા બનાવાયેલા 21 નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ સાથે ભુજ અને અમરેલીમાં તૈયાર થનારી કોલોનીનું પણ ખાતમુર્હત ડીજીટલ ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું હતું. વિડીઓ કોન્ફરન્સ દ્વારા આગેવાનો અને લોકોને સંબોધ્યા હતા. ભાવનગરમાં ટ્રાફિક એજ્યુકેશન અને અવર્નેસ મોબાઈલવાનનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.