ભાવનગર અને ભરૂચ વચ્ચે ચાલતી ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસ ફરી એકવાર બંધ કરવામાં આવી છે. ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ વાવાઝોડાને પગલે બંધ રાખવામાં આવી છે
રાજ્યમાં વાયુ વાવાઝોડાને લઇ અધિકારી અને કર્મચારીઓને પણ એલર્ટ રહેવા આદેશ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરી દેવાયા છે. જ્યારે વાવાઝોડાના ખતરા સામે લોકોને માહિતી પહોંચાડવામાં પણ આવી રહી છે.. જ્યારે એસ.ટી.ના તમામ ડ્રાઈવર અને કંડક્ટરની પણ રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.
વાયુ વાવાઝોડુ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે 24 કલાકમાં વાવાઝોડુ દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાયુ છે અને તેના કારણે વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા છે. 12થી 14 જૂન સુધી વાવાઝોડાની અસર રહે તેવી પણ શક્યતા છે. વાવાઝોડાના પગલે ભારે વરસાદ પણ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઈંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. તો વાવાઝોડાના પગલે તંત્રને પણ અલર્ટ કરી દેવામાં આવ્યું છે.