ભાવનગરઃ ગુજરાતમાં કોરોના એક બાજુ હાહાકાર મચાવી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે. ત્યારે ભાવનગરના મેયરના પુત્ર પણ કોરોના સંક્રમિત થયો છે. ભાવનગરના નવા મેયર કીર્તિ દાણીધારીયાના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કીર્તિ દાણીધારિયાના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર હોમ આઇસોલેટ થયા છે.
નોંધનીય છે કે, ભાવનગરમાં ગુરુવારે વધુ 32 કેસ નોંધાયા હતા. આ સાથે જ ભાવનગરમાં 18 લોકો સ્વસ્થ થયા હતા. આ સાથે જ ભાવનગરમાં અત્યાર સુધી 6440 કોરોના સંક્રમિત થયા છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી 69 લોકોના મોત નિપજ્યા છે. હાલ ભાવનગર જિલ્લામાં 140 દર્દી સારવાર હેઠળ છે. આ સાથે જ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓને ફરજીયાત 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના 1,276 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ કોરોનાના લીધે ત્રણ દર્દીઓના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 899 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,433 નોંધાયો છે.
ગુજરાતમાં હાલ કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,276 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે કેસ સુરત 395 નોંધાયા છે. અમદાવાદમાં 304, વડોદરા 129 , રાજકોટમાં 113, જામનગરમાં 48, ભાવનગરમાં 32, ગાંધીનગરમાં 24, જૂનાગઠમાં 4, ખેડામાં 25, મહીસાગરમાં 13, સુરેન્દ્રનગરમાં 5, પોરબંદરમાં 1, પંચમહાલમાં 25, મહેસાણામાં 18, આણંદમાં 15, નવસારીમાં 3, અરવલ્લીમાં 2, ડાંગ 2, દ્વારકા 2 અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 5,310 છે અને વેન્ટિલેટર 61 લોકો વેન્ટિલેટર પર છે.