સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવનાને લઈને તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપી છે. જેથી ભાવનગરમાં ડિઝાસ્ટર વિભાગમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને લઈને કોસ્ટલ વિસ્તારમાં આવતા 34 ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે.
3 બંદરો ઉપર ડી.સી. એક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જ્યારે જિલ્લામાં મહુવા, ઘોઘા અને સરતાનપર જેવા બંદરોમાંથી દરિયામાં ગયેલા 255 બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે.
વાવાઝોડાની આગાહીને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એલર્ટ, NDRFની ટીમ માટે એડવાન્સમાં જાણ કરવામાં આવી છે. ભાવનગરની ડિઝાસ્ટર ટિમને ખાસ સેટેલાઇટ ફોન પણ આપવામાં આવ્યો છે અને તે ગ્રામ્ય વિસ્તારોમાં સતત સંપર્કમાં રહેશે તેમ ભાવનગરના અધિક કલેક્ટરે જણાવ્યું છે.
મહત્વનું છે કે, નવલખી, જાફરાબાદ, પોરબંદર, ઉના, વેરાવળ, અમરેલી, ભાવનગર અને સોમનાથ સહિતના ગુજરાત-સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે