ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી જીતુ વાઘાણીએ બાકી નીકળતા રુપિયા માટે ટ્વિવટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લેવાનો વારો આવ્યો છે. જીત વાઘાણીએ ટ્વિટ દ્વારા રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પાસે 559 કરોડ રુપિયાની પઠાણી ઉઘરાણી કરતાં આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખાસ્સી વાયરલ થઈ રહી છે. તો કેટલાક લોકો આવી રીતે બાકી નીકળતા રુપિયાની ઉઘરાણીની રીત અંગે સવાલો ઉભા કરી રહ્યા છે.
રાજસ્થાનની કોંગ્રેસ સરકારે માહી બજાજ સાગર ડેમમાંથી ગુજરાતને પાણી નહીં આપવાનું કહીને કરારનો ભંગ કર્યો.
ગુજરાત આજે પણ ૦.૫ MFT નર્મદાનું પાણી આપે છે.
ગુજરાત રાજસ્થાન પર આધારિત નથી કોંગ્રેસે આવો ભ્રમ ફેલાવી રાજકીય કિન્નાખોરી કરવાનું બંધ કરે : રાજસ્થાન પાસે ₹ ૫૫૯ કરોડ લેવાના બાકી.
— Jitu Vaghani (@jitu_vaghani) December 1, 2021
મંત્રી વાઘાણએ ટ્ટવિટમાં લખ્યું છે કે રાજસ્થાનની અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર પાસે પાણી પેટે બાકી નીકળતા રુપિયા માંગ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું છે કે જસ્થાનની કોંગ્રેસ સરકારે માહી બજાજ સાગર ડેમમાંથી ગુજરાતને પાણી નહીં આપવાનું કહીને કરારનો ભંગ કર્યો. ગુજરાત આજે પણ ૦.૫ MFT નર્મદાનું પાણી આપે છે. ગુજરાત રાજસ્થાન પર આધારિત નથી કોંગ્રેસે આવો ભ્રમ ફેલાવી રાજકીય કિન્નાખોરી કરવાનું બંધ કરે : રાજસ્થાન પાસે 559 કરોડ લેવાના બાકી છે.
જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂક્તાં આ અંગે કોંગ્રેસ સહિતના પક્ષોએ તેમની આવી કાર્યપદ્વતિ સામે પ્રશ્નો ઉભા કર્યા છે.