આત્મહત્યા કરતા પહેલાં વ્યક્તિ શું વિચારે છે? એમ્સનું ‘બ્રેન બાયો બેંક’ પ્રોજેક્ટથી મળશે મદદ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

બ્રેન બાયો બેંક: આત્મહત્યા જેવી સમસ્યાને રોકવા માટે AIIMS નો આ મોટો પ્રયાસ.

આત્મહત્યા આજના સમયની સૌથી મોટી સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક બની ગઈ છે. NCRBના 2021ના આંકડા અનુસાર ભારતમાં એક વર્ષમાં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી. આ સંખ્યા 2020ની સરખામણીમાં 7.2% વધુ છે. આટલી મોટી સંખ્યા એ સંકેત આપે છે કે આપણે આત્મહત્યાના સાચા કારણોને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. આ દિશામાં દિલ્હીની એઈમ્સ (AIIMS)એ એક અનોખી પહેલ શરૂ કરી છે જેને બ્રેન બાયો બૅન્ક કહેવામાં આવે છે.

બ્રેન બાયો બૅન્ક શું છે?

બ્રેન બાયો બૅન્ક એક વૈજ્ઞાનિક વ્યવસ્થા છે, જ્યાં આત્મહત્યા કરી ચૂકેલા લોકોના મગજના નમૂના સુરક્ષિત રાખવામાં આવશે. આ નમૂનાઓનો વર્ષો સુધી અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સ એ સમજવાનો પ્રયાસ કરશે કે આખરે વ્યક્તિને આત્મહત્યા કરવાની વૃત્તિ કેમ થાય છે. આ બૅન્કમાં ખાસ કરીને મગજના ત્રણ ભાગો – પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ (PFC), હિપોકૅમ્પસ અને એમિગ્ડલા –ના નમૂના રાખવામાં આવશે. આ ભાગો નિર્ણય લેવા, ભાવનાઓને નિયંત્રિત કરવા અને યાદોને સાચવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેના અભ્યાસથી એ જાણવા મળશે કે આત્મહત્યા કરનાર વ્યક્તિના મગજમાં કેવા જૈવિક કે રાસાયણિક ફેરફારો થાય છે.

mahj.jpg

શા માટે જરૂરી છે આ સંશોધન?

ઘણીવાર એવું માનવામાં આવે છે કે આત્મહત્યા આર્થિક તંગી, સંબંધોમાં સમસ્યાઓ, કે નોકરીની ચિંતા જેવી પરિસ્થિતિઓને કારણે થાય છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી ઘણી ઊંડી છે. ડૉક્ટરો અનુસાર આત્મહત્યા કરનાર વ્યક્તિના મગજમાં ઘણા પ્રકારના રાસાયણિક અને જૈવિક પરિવર્તનો થાય છે. આ જ કારણોથી વ્યક્તિ નકારાત્મક વિચારમાં ડૂબી જાય છે અને જીવનનો અંત લાવવા જેવું કઠોર પગલું ભરી લે છે. આ સંશોધન દ્વારા આપણે આ ફેરફારોને સમજી શકીશું.

શું થશે ફાયદો?

આ પહેલથી સમાજને ઘણા પ્રકારના ફાયદા મળી શકે છે:

  • આત્મહત્યાના સાચા કારણોની યોગ્ય ઓળખ કરી શકાશે.
  • જે લોકોમાં આત્મહત્યા કરવાની વૃત્તિ છે, તેમને સમયસર કાઉન્સેલિંગ અને સારવાર આપી શકાશે.
  • નવી દવાઓ અને થેરાપીને વધુ પ્રભાવી બનાવી શકાશે.
  • ભવિષ્યમાં લાખો જીંદગીઓ બચાવી શકાશે.

susied.jpg

આત્મહત્યા રોકવા માટે માત્ર સામાજિક અને આર્થિક કારણોને સમજવું પૂરતું નથી. જ્યાં સુધી આપણે મગજમાં થતા ફેરફારોને નહીં જાણીએ, ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ અધૂરો રહેશે. એઈમ્સની આ પહેલ સમાજ માટે મોટી આશા છે. જો આ સંશોધન સફળ રહ્યું, તો આવનારા સમયમાં આત્મહત્યા જેવી ગંભીર સમસ્યાને રોકવામાં મોટી મદદ મળશે અને અગણિત લોકોને નવું જીવન જીવવાની તક મળશે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.