જેમણે હજુ સુધી નાણાકીય વર્ષ 2019-20 (આકારણી વર્ષ 2020-21) માટે આવકવેરા રિટર્ન ફાઇલ નથી કર્યા તેમના માટે સારા સમાચાર છે. સરકારે બુધવારે ફરી એકવાર આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારી દીધી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોના વાયરસ મહામારીને કારણે તેમના કાયદાકીય અનુપાલનને પૂર્ણ કરવામાં કરદાતાઓ દ્વારા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તે જોતાં સરકારે વિવિધ અનુપાલનોની છેલ્લી તારીખ લંબાવી છે. આમ, આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 10 જાન્યુઆરી, 2021 સુધી પહોંચી ગઈ છે.
