ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ અગાઉ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ મનાઈ રહ્યો છે ત્યારે ઓવૈસીની AIMIM પાર્ટી ગુજરાતમાં 65 બેઠકો પર જીતવાનો દાવો કર્યો છે.
AIMIM ગુજરાતની કુલ 65 બેઠકો પર ઉમેદવાર ઉતારશે. જેમાં AIMIM અમદાવાદની 5 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં દરિયાપુર, જમાલપુર ખાડિયા, વેજલપુરમાં ઉમેદવારો ઉતારશે. ત્યાં જ દાણિલીમડા અને બાપુનગર બેઠક પર AIMIM ઉમેદવાર ઉતારશે.
ઓવૈસીની પાર્ટી AIMIMની નજર ગુજરાતમાં મુસ્લિમ વોટબેંક પર છે અને આવા ગુજરાતના 3 જિલ્લા કચ્છ, ભરૂચ, અરવલ્લી અને અમદાવાદમાં જ્યાં મુસ્લિમના બહુમત વિસ્તાર છે તેવા વિસ્તાર માં પાર્ટી જીતની આશા રાખી રહી છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 47 બેઠકો એવી છે, જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10થી 30 ટકા અને કેટલીક બેઠક પર એથી પણ વધારે છે. સ્વાભાવિક રીતે જ આ બેઠકો પર મુસ્લિમ મતદારો ચૂંટણી પરિણામમાં નિર્ણાયક ગણાતા હોય ઓવૈસીને વિશ્વાસ છે કે મુસ્લિમો પોતાની પાર્ટીને જ વોટ આપશે.
આમ, ઓવેસી ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત કરવા કટીબદ્ધ છે.