અમદાવાદમાં દિવાળી તહેવારના બે દિવસ પહેલાં જ ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા થઇ હતી.આ હત્યાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગયું હતું.ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડના બે શંકાસ્પદ યુવકોની ધરપકડ કરી છે.આરોપીઓ લૂંટના ઇરાદે આવ્યા હતા કે એવી કોઈ ઘટના બની છે જેથી વૃદ્ધની હત્યા કરવામાં આવી છે તે પુછપરછ કરવામાં આવી હતી.હત્યાની ઘટના બન્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની 4 ટિમ કામે લાગી હતી CCTV ફૂટેજના આધારે એક યુવક જણાયો જે ઘાટલોડિયા વિસ્તરમાં રહેતો હોવાનો જણાયું હતું.જેને અન્ય એક શખ્સ સાથે મળીને હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.
દિવાળી પહેલા જ આ ઘટનાથી લોકોમાં ચકચાર મચી ગયો હતો.ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં રહેતા સિનિયર સીટીઝન જેમનું નામ દયાનંદ સુબરાવ અને તેમના પત્ની વિજયાલક્ષ્મી ઘરમાં એકલા રહેતા હતા.ઘરમાં વૃદ્ધ દંપતી એકલા હોવાથી બે અજાણ્યા શખ્સ ડિલિવરી બોય બનીને ઘરમાં ઘુસી ગયા હતા.હત્યારાઓએ વૃદ્ધ દંપતી પર હુમલો કરતા બંનેના મોત નિપજ્યા હતા.આ બનાવ બનતા આસપાસમાં ચકચાર મચી જતા પોલીસને આ બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.ઘરમાં કોઈ લૂંટ થઇ ન હતી તેથી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યારાઓ લૂંટના ઇરાદે આવ્યા ન હતા.હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ઘરપકડ કરી અને હત્યારાઓ લૂંટના ઇરાદે અથવા બીજા અન્ય કોઈ કારણોસર હત્યા કરી છે તે અંગેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દયાનંદ સુબરાવ શાનબાગ(89)અને પત્ની વિજયાલક્ષ્મી(80)ની હત્યા બાબતે દીકરા કિરણ શાનબાગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.દયાનંદ અને વિજયાલક્ષ્મીને ગળાના ભાગે છરીનો ઘા મારીને હત્યા કરી હતી.પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને દંપતીના મૃતદેહ પરિવારને સોંપી દેવાતાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
હત્યાની ઘટના બન્યા બાદ ઘણા સવાલો ઉભા થયા હતા કે આ વૃદ્ધ દંપતીની હત્યા કેમ કરવામાં આવી હતી.હત્યારાઓને એમના પણ થોડી દયા પણ ન આવી એવા સવાલો ઉભા થયા હતા.
આ દંપતીના ઘરે પ્રકાશ નામનો ઘરઘાટી નોકરી કરતો હતો પરંતુ તેને 3 મહિના પહેલા જ નોકરી છોડી દીધી હતી.જેથી સોસાયટીમાં કામ કરવા આવતા અન્ય ઘરઘાટીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.