કવિ: Shakil Saiyed - Political Editor

Meena Yasmin: પ્રકરણ-3  મીના યાસ્મીન –  કૈસર હિજાબીને કહી દો મીના યાસ્મીનને નિકાહની દરખાસ્ત ના-કૂબૂલ છે તુમ્હારે પાંવ ઉફ યે પાંવ કિતને ખૂબસૂરત હૈ, ઈન્હેં તુમ જીસ જગા રખ દો વહીં કશ્મીર બન જાયે કશ્મીર કી વાદીયોં મે બેપર્દા જો નિકલે હો, ક્યા આગ લગાઓગે બર્ફીલી ચટ્ટાનોં પર… Meena Yasmin: કૈસર હિજાબી એકધારી રીતે બોલી રહ્યો હતો. તે ખૂબ જ નાલાયકીપૂર્ણ રીતે શાયરી સંભળાવી રહ્યો હતો પણ મીના અંદરોઅંદર ગુસ્સામાં ભડકી રહી હતી. કૈસર હિજાબી બોલ્યો, મીના, અબ બસ કુછ વક્ત કા ઈન્તેઝાર હૈ, ફિર ઉસ કે બાદ તુમ હંમેશા કે લિએ હમારી હો જાઓગી…હકીમ, ઈસે તૈયાર કરો…કલ નિકાહ હોગા….…

Read More

Meena Yasmin: મીના યાસ્મીન મીના યાસ્મીન- પ્રકરણ-2 બેભાન થવાનો ડોળ કરીને સાંભળી રહેલી મીના યાસ્મીનના આખાય શરીરમાંથી ભયની લખલખી પસાર થઈ, તે ધ્રૂજવા લાગી દૂરના પહાડો પાછળ સૂર્ય ડૂબવા લાગ્યો ત્યારે ખીણમાંથી ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું. નાના, નાજુક પીછાઓની જેમ આકાશમાંથી ધીમેધીમે હિમવર્ષા થઈ રહી હતી. બરફ વરસતાંની સાથે જ જાણે સમગ્ર વિશ્વ અલૌકિક લાગવા માંડ્યું. અવાજો ગૂંગળાવા લાગ્યા અને પડઘાઓ સંભળાવા લાગ્યા. એક બર્ફિલો સન્નાટો પથરાયો હતો. બધું જ સફેદ રંગમાં ઢંકાઈ ગયું હતું. ઠંડી હવાની સુગંધ પ્રસરી રહી હતી. હવા વધુ તીક્ષ્ણ અને અધિક ઉત્તેજના અને મનમોહક્તાનો અનુભવ કરાવી રહી હતી. જેલમ નદીના પ્રવાહને કારણે રચાયેલી સાંકડી…

Read More

Meena Yasmin: મીના યાસ્મીન પ્રકરણ-1 બરફમાં કબર Meena Yasmin: “હમ ઔરતોં કો જીહાદ મેં શામીલ નહીં કરતે. અગર તુમ કો હમારે ગ્રુપ કે સાથ કામ કરના હૈ તો એક કામ હૈ” Meena Yasmin નજીકમાં પડેલી બે લાશો બતાવીને આતંકી ગ્રુપ લશ્કરે લાફાનીનો ચીફ હકીમ હડ્ડી ચિકન યુવતીને કહે છે. “જાઓ યે દોનોં લાશોં કી બર્ફ મેં કબર બનાદો ઔર ઉન્હેં વહીં દફનાદો”. યુવતી હકીમ હડ્ડી ચિકનની વાતને સાંભળી કહે છે, Meena Yasmin “બર્ફ મેં કૈસે દફનાદું ઔર અગર ઔરતેં જીહાદ મેં શામીલ નહીં હોતી હૈં તો મુર્દોં કો દફનાને કા કામ ભી ઔરતેં નહીં કરતી. આપ મુઝે પહેલે અપને ગ્રુપ…

Read More

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે ભાજપના સ્વરૂપસિંહ ઠાકોરની મુખ્ય ફાઈટ થશે. આ ઉપરાંત પાંચેક અપક્ષોએ પણ ઉમેદવારી નોંધાવી છે. ગુજરાતના બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં કોંગ્રેસે વાવ વિધાનસભાને લઈ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. ગુલાબસિંહ રાજપૂત અગાઉ પર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓનો પરિવાર પણ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલો છે. બીજી તરફ ભારતીય જનતા પક્ષે સ્વરૂપસિંહ ઠાકોર પર પસંદગી ઉતારી છે. ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાસભાના સભ્ય છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેઓ પ્રથમ વખત વર્ષ ર૦૧૯ માં થરાદમાંથી…

Read More

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે (20 ઓક્ટોબર) બપોરે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે 99 ઉમેદવારોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને 23 નવેમ્બરે મતગણતરી થશે. ભાજપે નાગપુર દક્ષિણ-પશ્ચિમથી નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય ભાજપ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેને કામથી (નાગપુર શહેર)થી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે મંત્રી ગિરીશ મહાજનને જામનેરથી, મંત્રી સુધીર મુનગંટીવારને બલ્લારપુરથી, શ્રીજય અશોક ચવ્હાણને ભોકરથી, આશિષ શેલારને બાંદ્રા પશ્ચિમથી, મંગલ પ્રભાત લોઢાને મલબાર હિલથી, રાહુલ નાર્વેકરને કોલાબાથી અને છત્રપતિ શિવેન્દ્ર રાજે ભોસલેને સાતારાથી ટિકિટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હાલમાં મહાયુતિ ગઠબંધન સરકાર…

Read More

બાબા સિદ્દીકીની હત્યા બાદ દેશભરમાં જાણીતા કુખ્યાત ગેંગસ્ટર્સમાં ગણના પામેલા લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈએ ખુલાસો કર્યો છે કે પરિવાર જેલમાં રહેલા બિશ્નોઈની દેખભાળ માટે દર વર્ષે 35 થી 40 લાખ રૂપિયા ખર્ચે છે. રિપોર્ટ અનુસાર, 50 વર્ષીય રમેશ બિશ્નોઈએ કહ્યું કે પરિવારે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ભવિષ્યમાં અપરાધી બની જશે. પિતરાઈ ભાઈએ માહિતી આપી લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશે કહ્યું, “અમે હંમેશાથી અમીર રહ્યા છીએ. લોરેન્સના પિતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા અને ગામમાં તેમની 110 એકર જમીન છે. લોરેન્સ હંમેશા મોંઘા કપડાં અને જૂતા પહેરતો હતો. અત્યારે પણ પરિવાર તેના…

Read More

India’s stance on terrorism: ભારત હિઝબુલ્લાહ અને હમાસને આતંકવાદી સંગઠન કેમ નથી માનતું? India’s stance on terrorism: ઇઝરાયેલ હમાસ અને હિઝબુલ્લાહ સામે લડી રહ્યું છે. ઈઝરાયેલની સેના ગાઝા અને લેબેનોનમાં હુમલા કરી રહી છે. અહીં ભારત હમાસ અને હિઝબુલ્લા પ્રત્યે નરમ રહ્યું છે. ઈઝરાયેલ ગાઝા પર એક વર્ષથી હુમલો કરી રહ્યું છે. ઇઝરાયેલે પણ છેલ્લા કેટલાક સમયથી લેબનોનમાં હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયેલે કહ્યું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ અને ગાઝામાં હમાસને નિશાન બનાવીને હુમલા કરશે, જેને તે આતંકવાદી સંગઠનો કહે છે. ઇઝરાયલે વિશ્વભરના દેશો પાસે હમાસ અને હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરી છે. ભારતે તેમની માંગની અવગણના કરી…

Read More

દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ વડા, પદ્મ વિભૂષણ રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું. તેઓ 86 વર્ષના હતા. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જો રતન ટાટાને કોઈ બાળક હોત તો કદાચ ક્યારેય એવો પ્રશ્ન ઊભો ન થયો હોત કે તેમના અનુગામી કોણ હશે. રતન ટાટાના ગયા પછી ટાટા ગ્રૂપની જવાબદારી કોણ સંભાળશે તેમાં ઘણા નામ સામેલ છે. રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા મોખરે છે. ટાટા ગ્રૂપની જવાબદારી માત્ર નોએલ ટાટા પર જ નહીં પરંતુ ટાટાની નવી પેઢીના ખભા પર રહેશે. ટાટાની નવી પેઢીમાં લેહ, માયા અને નેવિલનો સમાવેશ થાય છે. તેઓ રતન ટાટાના સાવકા ભાઈ…

Read More

India-Pakistan war: તમને ખબર છે ભારત-પાકિસ્તાન યુદ્વ દરમિયાન ગુજરાતના આ મુખ્યમંત્રી થયા હતા શહીદ, પાકિસ્તાને ઉડાવી દીધું હતું એરક્રાફ્ટ India-Pakistan war: 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્વ ફાટી નીકળ્યું હતું. આ યુદ્વ દરમિયાન ગુજરાત માટે ગોઝારી ઘટના બની હતી અને આજે આઘટના ઈતિહાસના પાના પર શહીદીની ગાથા રજૂ કરે છે. 1065માં યુદ્વ ફાટી નીકળ્યું ત્યારે પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર ભારે બોમ્બમારો અને રોકેટ લોન્ચર ફેંક્યા હતા. ખાસ કરીને કચ્છ સરહદ પર પાકિસ્તાની સેનાએ અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. તેવામાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીએ યુદ્વનું નિરીક્ષણ કરવા અને સેનાનો જુસ્સો વધારવા માટે એકક્રાફટ સાથે ઉડાન ભરી હતી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, 19 સપ્ટેમ્બર 1965ના…

Read More

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ દ્વારા પીએચડી માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નીતિ હેઠળ ઓબીસી, એસસી, એસટી અને વિકલાંગ ઉમેદવારોને પીએચડી કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે. કઈ જાતિઓ માટે અનામત લાગુ કરાઈ?  IIM એ જાહેરાત કરી છે કે તેઓ ‘સરકારી માર્ગદર્શિકા’ મુજબ 2025 થી પીએચડી પ્રવેશમાં આરક્ષણ લાગુ કરશે. જો કે, હજુ સુધી આ સંસ્થા તરફથી વિગતવાર માહિતી આપવામાં આવી નથી કે અનામતની આ સિસ્ટમ કેવી રીતે અમલમાં આવશે. IIM અમદાવાદે ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી હતી કે તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ (OBC) તેમજ વિકલાંગ ઉમેદવારો માટે 2025 થી ડોક્ટરલ કાર્યક્રમોમાં અનામત…

Read More