Gujarat:પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી સુરત થી વલસાડ બાય રોડ નીકળ્યા હતા. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રહ્યા હાજર હતા. વલસાડ જિલ્લા પ્રમુખ સાથે થઈ વાતચીત થઇ હતી. પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટથી ધરમપૂર આવા રવાના થયા. હેલિકોપ્ટર માં ખામી સર્જાતા તેઑ બાય રોડ નીકળ્યા હતા. પ્રિયંકાની સભામાં 30 હજાર લોકો હાજર રહ્યાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામા આવ્યો છે. સુરત એરપોર્ટ પર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધીનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાએ સુત્તરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટ પર અસલમ સાયકલવાલા, અશોક કોઠારી, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા…
Author: Shakil Saiyed - Political Editor
Gujarat: રાજ્યભરમાં લોકસભાની ચુંટણીના ધમધમાટ વચ્ચે સુરતમાં આવતીકાલે આમ આદમી પાર્ટીના ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા સહિત પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના 200થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે. એક પખવાડિયા પહેલાં જ આમ આદમી પાર્ટીને અલવિદા કહેનારા આ બંને આગેવાનો ભાજપમાં જોડાશે તે અંગેના તર્ક – વિતર્કો શરૂ થઈ ચુક્યા હતા. જેને પગલે હવે આ ચર્ચા પર પણ પૂર્ણ વિરામ મુકાઈ ચુક્યું છે અને આવતીકાલે વિધિવત ધાર્મિક અને અલ્પેશનો ભાજપમાં વાજતે ગાજતે પ્રવેશ થશે. વિધાનસભાની ચુંટણીમાં વરાછા અને ઓલપાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયાનો કારમો પરાજય થયો હતો. પાટીદાર અનામત આંદોલનને કારણે…
Surat:સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના વિવાદાસ્પદ ઉમેદવાર નિલેશ કુંભાણીને ભારે વિવાદ વચ્ચે કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ રદ્દ થયા બાદ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમનો આજ દિન સુધી કોઈ સંપર્ક થયો નથી. કોંગ્રેસ દ્વારા આટલા દિવસો સુધી તેમના ખુલાસાની રાહ જોવામાં આવી હતી અને હવે અંતે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાની સાથે જણાવવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્રના અનેક પાટીદારો માટે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી સાથે તેમને પાર્ટીએ લોકસભા બેઠક માટેની…
Surat: લોકસભા બેઠક સુરતના કોંગ્રેસનાં ઉમેદવાર નિલેષ કુંભાણી અત્યારે ભૂગર્ભમાં ઉતારી ગયા છે. નિલેષ કુંભાણી વિરુદ્ધ સુરત શહેરમાં પોસ્ટર્સ લાગ્યા છે અને કરોડો રૂપિયાના વાપરીને તેમણે બેસાડી દીધાં હોવાના આરોપ પણ થઈ રહ્યા છે ત્યારે કુંભાણીના પત્ની નીતા હવે સામે આવ્યા છે.ઉલ્લેખનીય છે કે કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થયું ત્યારથી તેઓ તો લાપતા છે જ પણ ત્રણ દિવસથી ઘર પણ બંધ હતું. આજે નીતા બહેન સામે આવીને કહે છે કે,’તેના પતિ ગાયબ નથી,તેઓ પોતાના વકીલ સાથે આ મામલાને નિપટાવવા અને લડી લેવાની રણનીતિમાં રોકાયેલા છે. તેણીએ ઉમેર્યું કે નિલેષનું ફોર્મ ભાજપે એક કાવતરાથી રદ્દ કરાવ્યુ છે. જેમાં કોંગ્રેસનાં જ કેટલાક…
Lok Sabha Election: બીજા તબક્કાની હાઈપ્રોફાઈલ બેઠક પર વાયનાડમાં રાહુલ ગાંધીની પરીક્ષા થશે, જ્યારે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને બે પૂર્વ મુખ્યમંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગશે. આવતીકાલે 26 એપ્રિલે રાજસ્થાનના બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોનું ભાવિ પણ જનતા નક્કી કરશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા ત્રીજી વખત કોટાથી ચૂંટણી લડી રહ્યા છે. મથુરાથી હેમામાલિની અને મેરઠથી લડતા અરૃણ ગોવિલ પર સૌની નજર છે. લોકસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. 24મી એપ્રિલની સાંજથી ઝુંબેશ બંધ થઈ ગઈ છે. 12 રાજ્યોની 88 લોકસભા સીટો પર મતદાન થશે. આ બેઠકો માટે કુલ 1206 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં ઘણાં દિગ્ગજ નેતાઓની વિશ્વસનિયતા પણ દાવ…
Gujarat: ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થનાર હોઈ હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા પ્રચાર માટે કાર્પેટ બોમ્બીંગના આયોજનો થયા છે. લોકસભા ચૂંટણી-2024 ના બીજા તબક્કાનું મતદાન પુરૃં થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ પોતાના કાર્પેટ બોમ્બિંગનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે. વડાપ્રધાન પહેલી અને બીજી મે એમ બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે અને સંભવતઃ વડોદરામાં રોડ શો પણ કરી શકે છે. વડાપ્રધાનના પ્રવાસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્રણ દિવસ પોતાના હોમ સ્ટેટમાં ભાજપના પ્રચાર માટે…
Gujarat: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો દ્વારા આંદોલન ચલાવાઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકાથી ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન પણ થયું છે. ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં મતદાન સુધી અસ્મિતા રથને ફેરવવામાં આવશે અને જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપના પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ-2 નો પ્રારંભ થયો છે. રાજકોટ-કચ્છ અને દેવભૂમિ દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ થયો છે, અને હવે ભાજપ સામે ખુલ્લો ક્ષત્રિયો સમાજ મેદાનમાં ઉતર્યો છે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા સમાજને સમજાવી રહ્યા છે. રૂપાલાની ટિકિટ કાપવાની માંગણી સંતોષવામાં નહીં આવતા ક્ષત્રિયો હવે ભાજપ સામે ખુલ્લા વિરોધમાં આવી ગયા છે,…
Mumbai High Court: મુંબઈ હાઈકોર્ટે દાઉદી વ્હોરા સમુદાયના વડા ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના બિરુદને સમર્થન આપ્યું હતું, જ્યારે તેમના ભત્રીજા તાહિર ફખરુદ્દીનના દાવાને ફગાવી દીધો હતો. ફખરુદ્દીને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના દાઉદી વ્હોરા સમુદાયના 53મા ધાર્મિક નેતા અથવા ‘દાઈ-અલ-મુતલક’ તરીકેના દરજ્જાને પડકારતો દાવો દાખલ કર્યો હતો. જસ્ટીસ ગૌતમ પટેલે કહ્યું કે હું કોઈ ગરબડ ઇચ્છતો નથી. મેં ચુકાદો શક્ય તેટલો તટસ્થ રાખ્યો છે. મેં માત્ર પુરાવાના આધારે ફેંસલો કર્યો છે, આસ્થાના મુદ્દા પર નહીં.” દાઉદી વ્હોરા સમુદાયે કહ્યું કે મુંબઈ હાઈકોર્ટનો ફેંસલો “ઐતિહાસિક” અને સમુદાય માટે નિર્ણાયક ક્ષણ છે. દાઉદી વ્હોરા પ્રવક્તાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ચુકાદામાં અરજદાર…
Surat: સુરત લોકસભા બેઠકના અમાન્ય કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગુમ થઈ ગયા છે. તેમનું ઉમેદવાર તરીકે નામાંકન કથિત વિસંગતતાને કારણે નામંજૂર કરવામાં આવ્યું હતું.નિલેશ કુંભાણીનો ફોન પર સંપર્ક થઈ શક્યો નથી. આ વાત ત્યારે સામે આવી છે જ્યારે એક દિવસ પહેલા જ તમામ હરીફ ઉમેદવારો ચૂંટણીમાંથી ખસી ગયા બાદ મુકેશ દલાલને ભાજપના ગઢમાંથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. હવે એવા અહેવાલ છે કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના કાર્યકરોએ કંભાણીના બંધ ઘરની બહાર પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, “લોકોનો ગદ્દાર”. લોકસભામાં ભાજપની પ્રથમ બિનહરીફ જીત બાદ સુરતમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો…
Gujarat : 2024ની લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ભાજપના ઉમેદવારે લોકસભા બેઠક જીતી લીધી છે. સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત ઐતિહાસિક છે પરંતુ આ બિનહરીફ જીતનો બનાવ દેશના ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રથમ નથી. સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રિટર્નિંગ ઓફિસરે નામંજૂર કર્યું હતું, જ્યારે સુરતના અન્ય આઠ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા. આમ, મુકેશ દલાલ એક વોટ પડે તે પહેલા જ જીતી ગયા હતા. સુરત લોકસભા બેઠક પર 7 મેના રોજ ચૂંટણી થવાની હતી. દેશની સાત દાયકાની ચૂંટણી જંગમાં ત્રણ ડઝનથી વધુ વખત એવી ઘટનાઓ બની છે જ્યારે હરીફ ઉમેદવારોના…