ગુરુવારે સાંજે 5:21 વાગ્યે મણિપુરના ચંદેલ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. એક દિવસ પહેલા જ બુધવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે 9.46 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા 4.3 હતી. ભૂકંપનું કેન્દ્ર કચ્છના ખાવડા ગામથી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 26 કિલોમીટર દૂર હતું.
