ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ રવજીભાઈ ધાનાણીનું આજે રાત્રે સાડા દસ વાગ્યે અમરેલી ખાતેના નિવાસે હૃદયરોગનાં હુમલામાં નિધન થયું છે. તેમના મધુપ્રમેહની શિકાયત હતી પરંતુ તેઓ સાજા-સરવા હતા. તેઓ 77 વર્ષના હતા.
પરેશ ધાનાણીએ ફોન પર કહ્યું કે આજે સવારે પિતાના આશિર્વાદ લઈ ઘરેથી નીકળ્યો હતો. દિવસભર સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને ગાંધીનગર ખાતે પરત ફરી રહ્યો હતો ત્યારે પિતાના દુખદ સમાચાર મળ્યા.
કોંગ્રેસના અનેક નેતાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મિત્ર વર્તુળો અને શૂભેચ્છકો તેમના નિવાસે પહોંચી ગયા હતા.
સ્વ.ઘીરજલાલની અંતિમ યાત્રા આવતીકાલે સવારે નવ વાગ્યે અમરેલી ખાતેના નિવાસેથી નીકળશે.