ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ ચરમસીમાએ પહોચ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજીનામ બાદ આજે રાજીવગાંધી ભવન ખાતે આંદોલનકારી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ સંબોધી હાર્દિક પટેલ સામે બળાપો ઠાલવ્યો હતો તેમણે કહ્યુ કે જો હાર્દિકને કોંગ્રેસ છોડાવી હોત તો પાર્ટીની ગરિમા રાખીને છોડવી જોઇએ તેમણે મિડિયા સમક્ષ ઉચ્ચારેલા શબ્દો આ યોગ્ય હતા હાર્દિક પટેલને કોંગ્રેસે માત્ર 27 વર્ષની ઉંમરે કોંગ્રેસના વર્કિગ કમિટીનું પ્રમુખ બનવાયો હવે અંબાણી અને અદાણી કેમ સારા લાગી રહ્યા છે. હાર્દિકે રાહુલગાંધી પર ઉચ્ચારેલો શબ્દ ચિકન સેન્ડવીચ ખૂબ જ આયોગ્ય હતો પરિવારમાં વૌચરિક મતભેદો હોઇ શકે છે.
તે પાર્ટીની અંગત બાબત છે એક સમયે કોંગ્રેસમાં રહી ભાજપના તાનાશાહી શાસન પર આકરા પ્રહાર કરનાર હવે ભાજપના ગુણગાના ગાઇ રહ્યા છે. પાટીદાર સમયના આંદોલન તેમણે રાજ્યમાં જુદા-જુદા થયેલા કેસો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતુ કે ઉનામા દલિતા સમાજ પર થયેલા કેસો હજુ પરત નથી લેવાયા પ્દ્માવત દરમિયાન થયેલા કેસો પરત નથી લેવાયા કોંગ્રેસને દેશ વિરોધી ગણાવા બાબતે તેમણે પ્રહાર કરતા જણાવ્યુ હતુ કોંગ્રેસે દેશમાં બંધારણ અને લોકો વચ્ચે કોમી એખલાસ સાથે સૌને સાથે રાખી ચાલે છે.
હાર્દિકે જે પ્રકારે નિવેદન પાર્ટી વિરોધી નિવેદન આપી રહ્યા છે તે પ્રેસનોટ કમલમ માંથી તૌયાર થઇ છે હાર્દિક સરકાર સાથે સમાધાન કરતા હોય તેવી રીતે ભાજપમાં સમાવવા માટે પ્રત્યન કરી રહ્યા છે અસામાં થયેલી પોતાની ધરપકડને લઇ કહ્યુ હતુ કે મારા માટે રાહુલગાંધી અડધી ઉઠ્યા ગુજરાત સહિત જુદા-જુદા રાજ્યના લોકોએ ધરપકડ સામે મારો સાથ આપ્યું તેમણે હાર્દિક પટેલ આડેહાથ લેતા જણાવ્યુ હતુ કે વિચારધારા વસ્ત્રમાં નહી લોહીમાં હોવી જોઇએ જીગ્નેશ મેવાણી પોતાનો હુંકાર ભરતા જણાવ્યુ હતુ કે હું ગર્વ સાથે કહુ છું હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહીશ આગામી સમય કોંગ્રેસના લાખો યુવાનોને જોડાવાનો કામ કરીશ