ફિરોઝપુરમાં રેલી કરવા આવી રહેલા પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ખામીને કારણે કેન્દ્ર અને પંજાબ સરકાર વચ્ચે ટકરાવની શક્યતા વધી ગઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, ભટિંડા એરપોર્ટ પર પીએમએ અધિકારીઓને કહ્યું કે તેઓ તેમના સીએમનો આભાર માને કે હું જીવતો પરત આવી શક્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ સરકારે ફિરોઝપુર અને ફરીદકોટના SSP ને સસ્પેન્ડ કરી દીધા છે.જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી. ગૃહ મંત્રાલયે આ મામલે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને પંજાબ સરકાર પર મોટા સવાલો ઉઠાવ્યા છે.
Officials at Bhatinda Airport tell ANI that PM Modi on his return to Bhatinda airport told officials there,“Apne CM ko thanks kehna, ki mein Bhatinda airport tak zinda laut paaya.” pic.twitter.com/GLBAhBhgL6
— ANI (@ANI) January 5, 2022
નડ્ડાએ આક્ષેપો કર્યા હતા
નડ્ડાએ કહ્યું કે પંજાબ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પીએમની મુલાકાતમાં વિક્ષેપ પડ્યો તે દુઃખદ છે. રાજ્ય પોલીસને લોકોને રેલીમાં આવવાથી રોકવાની સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ચન્ની પર આરોપ લગાવતા નડ્ડાએ કહ્યું કે આ દરમિયાન ચન્નીએ ફોન પર વાત કરવાનો કે તેનો ઉકેલ લાવવાની ના પાડી દીધી.
નડ્ડાએ કહ્યું કે આમ કરવાથી પંજાબ સરકારે એ વાતની પણ પરવા કરી નથી કે પીએમએ ભગત સિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને મોટા વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરવાનો છે.પંજાબની કોંગ્રેસ સરકારે બતાવ્યું છે કે તેઓ વિકાસ વિરોધી છે. અને તેઓને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પણ કોઈ માન નથી. હારના ડરથી પંજાબની કોંગ્રેસ સરકારે પીએમને રોકવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યા.