- સુરત :ઓલપાડ તાલુકાનાં 1672 લોકોને વાવાઝોડાને પગલે સુરક્ષીત સ્થળે લઈ જવાની કામગીરી શરૂ. આવતીકાલે સુરતની તમામ શાળાઓ અને કોલેજો બંધ, કલેક્ટર દ્વારા અાદેશ અપાયો
- ગીર સોમનાથમાં માછીમારનું મોત, ઓખી વાવાઝોડાના કારણે થયું માછીમારનું મોત, સમુદ્રમાં ભારે પવનના કારણે માછીમાર દરિયામાં ડૂબી જતા મોત
- ઓખી ચક્રવાતની અસર : સુરતમાં 70થી 80 કિમીની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા
- દક્ષિણ ગુજરાત પર ઓખી વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ સાવચેતીના ભાગ રૂપે રજા જાહેર કરવામાં આવી તેમજ જરૂર પડે વિસ્થાપીતોને વ્યવસ્થા સારું શાળાના મકાન ઉપલબ્ધ રાખવા તંત્રનો આદેશ
- ગણદેવી તેમજ અન્ય જગ્યાએ વધુ વરસાદ કે પવનના ભયથી હાની થાય તેમ લાગે તો તાત્કાલિક સાવચેતીના પગલાં ભરી બાળકોને રજા આપી દેવાની શાળાના આચાર્યને સૂચના તંત્ર દ્વારા આવતી કાલે તમામ શાળા કોલેજ બંધ રહેશે
- રાત્રે 12 વાગે આોખીની અસર સુરતના દરિયા પટ્ટીમાં દેખાશે, 70થી 80 કિમીની ઝડપે પવન ફુંકાશે,ચક્રવાતની સંભાવના નહી
- હજીરા 5 જગ્યાએ દરિયામાંથી ગેસની સપ્લાય બંધ કરાઇ, કલેક્ટર દ્વારા આપવામાં આવી મહિતી
- રાજકોટ NDRFની એક એક ટીમો ભાવનગર અને અમરેલી મોકલી, એક ટીમ નવસારી અને એક ટીમ વલસાડ મોકલી, બે ટિમો સુરત રાખવામાં આવી છે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.