Bridge Collapse: વલસાડના 5 નદી -પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
2 Min Read

Bridge Collapse લાંબા સમયથી અવગણાતા પુલોની હાલતનું હવે નિરીક્ષણ શરૂ

Bridge Collapse ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ તંત્રને ચેતવણી આપી છે. 9 જુલાઈની સવારે મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થતાં 20 નાગરિકોનો ભોગ લેવાયો હતો. આ પછી રાજ્યભરના પુલોની સ્થિતિ તપાસવા તંત્ર હરકતમાં આવ્યું છે.

વલસાડમાં 5 પુલ પર પ્રતિબંધ

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પરના નીચેના પુલો પર ભારે વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે:

- Advertisement -
  • વલસાડ-લીલાપોર પુલ

  • વાપી નજીક દેગામ ખાડી પુલ

  • કોકલ નદી પુલ

  • કરંજવેરી પુલ (ધરમપુર પાસે)

  • તાન નદી પુલ

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. નાનાપોંઢા નજીકના વડખંભા પુલને ‘સ્ટેબિલિટી ચેક’ સુધી બંધ રાખવામાં આવ્યો છે.

Bridge.1.jpg

- Advertisement -

ચેકિંગના આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર દ્વારા તમામ પુલોની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. નર્મદા કેનાલ નજીકના તમામ પુલોનું સ્ટ્રક્ચરલ ચેકિંગ કરવા અને 3 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા સૂચના અપાઈ છે.

દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ

9 જુલાઈના રોજ સવારે 7:30 વાગ્યે મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ તૂટી પડ્યો હતો. તેમાં 3 ટ્રક, રિક્ષા, ઈકો કાર, પિકઅપ વાન અને 2-3 બાઇક્સ સાથે નદીમાં ખાબકી હતી. એક કાર નીચે દબાઈ ગઈ હતી. ઘટનામાં 20 લોકોનાં મોત થયા છે અને rescue ઓપરેશન હજુ ચાલુ છે.

Gambhira Bridge777.jpg
Hemangi – 1

જવાબદારી કે માત્ર કાર્યવાહીનો દેખાવ?

અત્યાર સુધી ન તો આવા પુલોની રક્ષણની યોગ્ય વ્યવસ્થા કરાઈ હતી, ન તો સમયસર ફિટનેસ ટેસ્ટ. દુર્ઘટના બાદ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે અને મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

- Advertisement -

તેથી સવાલ ઊઠે છે – શું તંત્રને આ જોખમી પુલો પહેલાંથી દેખાતા નહોતા? શું ગંભીર દુર્ઘટનાની રાહ જોઈ રહી હતી કે પછી હવે ફક્ત રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી થઈ રહી છે?

 

 

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.