Business: 2000 રૂપિયાની નોટ 18 મે 2023ના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને લઈને મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં બેંકે કહ્યું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. હવે આરબીઆઈએ એક અપડેટ આપ્યું છે કે જો કોઈ વ્યક્તિ 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માંગે છે તો તે આ પદ્ધતિઓ દ્વારા બેંકમાં જમા કરાવી શકે છે?
ભારતીય રિઝર્વ બેંકે 18 મેના રોજ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરી દેવામાં આવી છે. લોકો પાસે નોટો બદલવા માટે 7 ઓક્ટોબર 2023 સુધીનો સમય હતો. જો કોઈ વ્યક્તિ પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ હોય તો તે તેને સરળતાથી બદલી શકે છે.
RBIએ નોટ એક્સચેન્જને લઈને એક અપડેટ આપ્યું છે કે 2,000 રૂપિયાની નોટ પોસ્ટ ઓફિસ દ્વારા પણ બદલી શકાય છે. RBIએ તેના FAQમાં કહ્યું હતું કે લોકો RBIની 19 ઓફિસમાં પોસ્ટ દ્વારા પણ નોટ મોકલી શકે છે.
2000 રૂપિયાની નોટ કેવી રીતે બદલવી.
જો તમે રૂ. 2,000ની નોટ બદલવા માંગો છો, તો તમારે એક અરજી ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ તમને ઓનલાઈન મળશે. આ પછી, આ ફોર્મની સાથે, તમારે 2,000 રૂપિયાની નોટ પોસ્ટ દ્વારા RBI ઓફિસમાં મોકલવાની રહેશે.
2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલા 2016માં 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઘણી નોટો પાછી આવી.
આરબીઆઈએ કહ્યું હતું કે 97 ટકાથી વધુ નોટો તેમને પરત કરવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ પોસ્ટ દ્વારા 2,000 રૂપિયાની નોટ મોકલે છે, તો તે માત્ર 20,000 રૂપિયાની મર્યાદા સુધીની જ નોટો મોકલી શકે છે. આ સિવાય લોકો RBIની પ્રાદેશિક ઓફિસમાં જઈને સરળતાથી નોટો બદલી શકે છે.
RBI પ્રાદેશિક કચેરીઓની યાદી.
RBIની દેશમાં 19 પ્રાદેશિક કચેરીઓ છે. તે અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, કોલકાતા, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે.