Ahmedabad Plane Crash:લંડન જતું પ્લેન ડ્રીમલાઇનર 787 એરપોર્ટની નજીક દુર્ઘટનાગ્રસ્ત, મેઘાણીનગર વિસ્તારમાં આગ અને ધુમાડા વચ્ચે રાહત કામગીરી ચાલુ
Ahmedabad Plane Crash: અમદાવાદ, 12 જૂન – અમદાવાદમાં આજે બપોરે એક અત્યંત દુઃખદ અને ભયાનક વિમાન દુર્ઘટના સામે આવી છે. એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787 વિમાન, જે લંડન જવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરી રહ્યું હતું, તે ઉડાન દરમિયાન અચાનક તંત્ર ગુમાવી બેઠું અને એરપોર્ટની સીમા નજીક ઇમારત સાથે અથડાઈને ક્રેશ થયું.
अहमदाबाद प्लेन क्रैश का लाइव वीडियो#planeCrash । #Ahmedabad pic.twitter.com/jJJCpjz4dD
— NDTV India (@ndtvindia) June 12, 2025
વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા અને પહેલાથી મળેલી માહિતી મુજબ તમામના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દુર્ઘટનાની સાથે જ વિસ્તારના મેઘાણીનગર વિસ્તારમાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડા જોવા મળ્યા હતા. વિમાનના ઘણાં ભાગો બળીને રાખ થઈ ગયા છે અને આસપાસની ઇમારતોને પણ ગંભીર નુકસાન થયું છે.
વિમાન અકસ્માતને પગલે શહેરી તંત્ર અને બચાવ દળ તાત્કાલિક દોડી ગયા છે. અગ્નિશામક દળ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં છે અને સિવિલ હોસ્પિટલના તમામ ડોક્ટરોને તાત્કાલિક ફરજ પર બોલાવી લેવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં અરેરાટીનો માહોલ છે અને રાહત કાર્ય યથાશક્તિ ચાલુ છે.