Stock Market News:આઈઆઈએફએલ ફાઈનાન્સ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની કાર્યવાહીની અસર દેખાઈ રહી છે. એક તરફ આ NBFCના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડના શેરમાં 8 ટકા અને મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના શેરમાં 10.62 ટકાનો વધારો જોવા મળ્યો છે.
રોકાણકારોની ચાંદી
મુથૂટ ફાઇનાન્સ લિમિટેડનો શેર આજે BSEમાં રૂ. 1370.25ના સ્તરે ખૂલ્યો હતો. થોડા સમય પછી, કંપનીના શેર 10.62 ટકાના ઉછાળા સાથે 1479.40 રૂપિયાના સ્તરે પહોંચી ગયા. મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના શેરમાં જૂન 2020માં એક દિવસમાં સૌથી વધુ વધારો થયો છે. મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ વિશે વાત કરીએ તો, કંપનીના શેર આજે BSEમાં રૂ. 186.25ના સ્તરે ખૂલ્યા હતા. પરંતુ થોડા સમયની અંદર તે રૂ. 199ની ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચવામાં સફળ રહ્યો હતો. આ પણ કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.
શું છે મામલો?
રિઝર્વ બેંકના નિર્ણય બાદ IIFL ફાઇનાન્સના શેરના ભાવમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેર આજે લોઅર સર્કિટ પર છે. તમને જણાવી દઈએ કે, રિઝર્વ બેંકે IIFL ફાયનાન્સ પર કડક કાર્યવાહી કરી છે. 4 માર્ચે લેવાયેલા તેના નિર્ણયમાં સેન્ટ્રલ બેંકે બેંકને કોઈપણ પ્રકારની ગોલ્ડ લોન આપવા પર રોક લગાવી દીધી છે.
આજની બેઠક પર સૌની નજર છે
રિઝર્વ બેંકના આ નિર્ણય બાદ આજે એટલે કે 5 માર્ચે IIFL ફાયનાન્સની મેનેજમેન્ટ મીટિંગ છે. જેના પર રોકાણકારોની નજર ટકેલી છે. તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ બેંકનો નિર્ણય કેટલા સમય સુધી અમલમાં રહેશે તેની કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી. જેના કારણે IIFL ફાયનાન્સના રોકાણકારોના મનમાં શંકાના વાદળો છે.