TDS Rules From April 1 : FD કરાવનાર માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી TDSના નવા નિયમો લાગુ થશે, જાણો શું બદલાશે!
TDS Rules From April 1 : કેન્દ્રીય બજેટ 2025માં સરકારે TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ)ના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યાં છે. આ નવા નિયમો 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે, જેના કારણે ફિક્સડ ડિપોઝિટ (FD) અને અન્ય બચત સાધનો પર વ્યાજ મેળવતા લોકો માટે રાહતના સમાચાર છે.
TDS શું છે?
TDS એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, જેની હેઠળ જો બેંકમાં FD અથવા અન્ય બચત ખાતા પર મળતું વ્યાજ ચોક્કસ મર્યાદાથી વધુ થઈ જાય, તો બેંક દ્વારા TDS કાપવામાં આવે છે.
વરિષ્ઠ નાગરિકો માટે રાહત
નવા નિયમો હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા બમણી કરવામાં આવી છે. હવે,
જો નાણાકીય વર્ષમાં કુલ વ્યાજ આવક 1 લાખ રૂપિયા સુધી છે, તો TDS લાગુ નહીં થાય.
આ નિયમ FD, RD અને અન્ય બચત સાધનો પર મળતા વ્યાજ માટે લાગુ પડશે.
‘
સામાન્ય નાગરિકો માટે TDS મર્યાદા
સામાન્ય નાગરિકો માટે TDS મર્યાદા 40,000 રૂપિયામાંથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.
એટલે કે, જો કોઈ નાગરિકનું નાણાકીય વર્ષમાં FD વ્યાજ 50,000 રૂપિયા સુધી છે, તો TDS લાગુ નહીં થાય.
લોટરી પર TDS
હવે, 10,000 રૂપિયાથી વધુની જીત પર જ TDS લાગુ પડશે. અગાઉ વર્ષમાં કુલ 10,000 રૂપિયા જીત પર TDS લાગુ પડતો હતો.
વીમા કમિશન પર TDS
વીમા એજન્ટો અને દલાલો માટે TDS મર્યાદા 15,000માંથી વધારી 20,000 રૂપિયા કરવામાં આવી છે.
મ્યુચ્યુઅલ ફંડ અને શેર ડિવિડન્ડ પર TDS
ડિવિડન્ડ આવક પર TDS મર્યાદા 5,000માંથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.
1 એપ્રિલ, 2025થી લાગુ થનારા આ નવા TDS નિયમો વરિષ્ઠ નાગરિકો અને રોકાણકારો માટે રાહત લાવશે. ખાસ કરીને, FD પર મળતા વ્યાજ પર વધુ મુક્તિ મળવાથી નાના બચતદારોને મોટો ફાયદો થશે.