Repo Rate RBI ની MPC બેઠક: રેપો રેટમાં ઘટાડો થતા તમારા ખિસ્સા પર શું અસર થશે?
Repo Rate આજથી એટલે કે 4 જૂનથી ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક શરૂ થઇ રહી છે, જે 6 જૂન સુધી ચાલશે. આ બેઠક દરમિયાન RBI ગવર્નર સંજય મલ્હોત્રા નાણાકીય નીતિ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કરશે. છેલ્લા બે સત્રોમાં RBI એ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો અને આ વખતે પણ નાણાકીય નિષ્ણાતોનો અંદાજ છે કે રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો થવાની શક્યતા છે.
રેપો રેટ શું છે અને કેમ મહત્વનું છે?
રેઝર્વ બેંક દ્વારા બેક-ટુ-બેક લોન આપતી વખતે જે વ્યાજ દર નક્કી થાય છે, તેને રેપો રેટ કહેવામાં આવે છે. આ દરમાં ફેરફાર થવાથી સીધો અસર આપણા નાગરિકો પર પડે છે, ખાસ કરીને લોન અને EMI પર.
રેપો રેટમાં ઘટાડાની તમારી જિંદગી પર અસર
- ખર્ચ કરવાની ક્ષમતા વધશે:
રેપો રેટ ઘટતા બેંકો પાસેથી લોન લેવા પર વ્યાજ દર ઘટે છે. આથી લોકો સરળતાથી લોન લઈ શકશે અને બચત પણ વધશે. બજારમાં માંગ વધવાથી અર્થતંત્રમાં સુધારો આવી શકે છે. - લોન સુલભ થશે:
ઘટેલી વ્યાજદરથી લોકોની લોનની માગ વધી શકે છે. ખાસ કરીને હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન પર હવે ઓછા વ્યાજમાં લોન મળશે, જેના કારણે નાગરિકોને સરળતા થશે. - EMI પર રાહત મળશે:
સૌથી મોટો ફાયદો એ થશે કે તમારી હોમ, કાર અને પર્સનલ લોનની EMI ઘટી શકે છે. ઓછા વ્યાજના કારણે માસિક ચુકવણીમાં ઘટાડો થવાથી તમારા ખર્ચમાં રાહત આવશે.
નિષ્ણાતોની દ્રષ્ટિ
મહામારી બાદ ઊભરતી આર્થિક સ્થિતીમાં RBI દ્વારા રેપો રેટ ઘટાડવું અર્થતંત્ર માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ વર્ષે RBI સતત રેપો રેટમાં ઘટાડો કરતું રહેશે તો 2025ના અંત સુધી તે 5.25 ટકા સુધી ઘટી શકે છે. આ દર ઘટાડો સાથે વ્યાજદર ઘટવાથી ગ્રાહકોને લોન પર સહુલિયત મળશે અને આર્થિક ગતિવિધિઓમાં વધારો થશે.