કપરાડાના મોટીવાહિયાળ ગામે મોડી રાત્રી સમયે બુકાની ધારી 6 જેટલા ત્રાટકો એક સ્થાનિક મકાનમાં ઘુસી જઇ લૂંટ ચલાવતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો, મકાન માલિક ઇદ્રીશ ભાઈ સિંધી એ લૂંટનો બનાવ બનતા પ્રથમ 100નંબર પર પોલીસને બોલાવી લૂંટની ફરિયાદ અંગે જાણ કરી હતી જ્યાં નજીકની પોલીસ મથક માથી પોલીસ કર્મી દોડી આવ્યા હતા.
જ્યાં તેમને ફરિયાદ માં 6 જેટલા બુકાની ધારી ઈસમો હથિયાર લઈ ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ કબાટ તિજોરી ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં તેમણે 60હજાર કેસ, અઢી તોલા સોના ચાંદી ના દાગીના ચોરી નાસી છૂટીયા હતા, જે ઘટના બાદ કપરાડા તથા આજુબાજુ ના રહીશો એ આ લૂંટારા લોકો ને પકડવા પોલીસ સાથે રાખી નાઈટ પેટ્રોલિંગ કરી કપરાડા-ધરમપુર ના મુખ્ય માર્ગો પર સઘન ચેકીંગ હાથ ધરી હતી.પરંતુ ચોરો પોલીસ ને હાથે ન ચઢતા પોલીસે લૂંટ ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.