Chandra Gochar આ 3 રાશિઓ પર નહીં પડે અશુભ અસર
Chandra Gochar 20 જુલાઈ 2025ના રોજ સવારે 06:11 વાગ્યે, ચંદ્ર દેવ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ્યા છે. તેઓ હવે 22 જુલાઈ 2025ના સવારે 08:14 સુધી અહીં જ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ચંદ્રના રાશિ પરિવર્તનથી મન, ભાવનાઓ અને પરિવારમાં પોઝિટિવ કે નેગેટિવ અસર પડી શકે છે. પણ કેટલાક માટે આ પરિવર્તન ખૂબ શુભ સાબિત થાય છે. આજે અમે તમને એ ત્રણ રાશિઓ વિશે જણાવીશું જેમના જીવન પર આ ગોચરનો અશુભ પ્રભાવ નહીં પડે — તેમને લાભ મળવાની શકયતા છે.
1. વૃષભ રાશિ – આત્મવિશ્વાસમાં વધારો અને લાભદાયી સમય
ચંદ્રનું પોતાની જ રાશિમાં ગોચર કરવું વૃષભ જાતકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે, વડીલોના આશીર્વાદથી મન પ્રસન્ન રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને તક મળી શકે છે. વેપાર કરતી વ્યક્તિઓ માટે પણ આ સમય સારા નફાની સંભાવના સાથે આવ્યો છે. ખાસ કરીને દુકાનદારો અને નાના ઉદ્યોગકારોને વેચાણમાં વૃદ્ધિ થશે. આ સમયગાળો સ્વાસ્થ્ય માટે પણ અનુકૂળ છે અને કોઈ નવી કિંમતી વસ્તુ ખરીદવા માટે ઉત્તમ છે.
2. કર્ક રાશિ – નવો આત્મવિશ્વાસ અને કારકિર્દીમાં સફળતા
કર્ક રાશિના જાતકો માટે ચંદ્રના ગોચરનો ખૂબ જ સારો પ્રભાવ જોવા મળશે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે, તેથી આ પરિવર્તન વિશેષ લાભદાયક બને છે. ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે. નોકરી કે વ્યવસાયમાં નવી તકો મળવાની શકયતા છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પણ સફળતા મળી શકે છે. નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે આ સમય યોગ્ય છે. વ્યવસાયમાં નવા ભાગીદારો સાથે જોડાવાથી લાભ થવાની શકયતા છે.
3. ધન રાશિ – પરિવારમાં શાંતિ અને કામમાં ઉન્નતિ
ચંદ્રના ગોચરથી ધન રાશિના જાતકોના જીવનમાં પણ સકારાત્મક ફેરફાર આવશે. ઘરમાં ચાલી રહેલા મતભેદ દૂર થવાની શક્યતા છે અને સંબંધોમાં સમજૂતી વધશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી સહકાર મળશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સરકારી નોકરી કરનાર લોકો માટે સ્થાનાંતર અથવા પ્રમોશનની સંભાવના છે. વૃદ્ધ લોકોના મનમાં શાંતિ રહેશે અને તણાવમાંથી મુક્તિ મળશે.
ચંદ્ર ગોચર દરેક રાશિ પર અલગ અસર કરે છે, પણ વર્તમાન ગોચરમાં વૃષભ, કર્ક અને ધન રાશિ માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયક સાબિત થવાની સંભાવના છે. ભવિષ્યની યોજનાઓ માટે આ સમયને યોગ્ય રીતે ઉપયોગમાં લ્યો અને નવી તકોની રાહ જોતા રહો.