હૃદયને હચમચાવી નાંખે તેવો કિસ્સો આવ્યો સામે.બળાત્કારનો ભોગ બનેલી અસ્થિર મગજની કુંવારી પીડિતા એ આપ્યો બાળકીને જન્મ.છોટાઉદેપુર જિલ્લાના કહેવાતા સૌથી મોટા સરકારી દવાખાનામાં તબીબના અભાવે ના મળી સારવાર.ખાનગી દવાખાનામાં મોટી રકમ ખર્ચી કરાવી પડી સારવાર.ગરીબ અને આદિવાસી હોવા છતાં ના મળી કોઈ સરકારી સહાય.ઘરે પરત જવા ના મળી ખિલખિલાટ.દેશમાં દુષ્કર્મની ઘટનાઓએ હાહાકાર મચાવ્યો છે તેવામાં દુષ્કર્મનો ભોગ બનેલી એક લાચાર,ગરીબ એવી અસ્થિર મગજ ની યુવતીનો હૃદયને ચીરી નાંખે તેવો કિસ્સો સામે આવ્યો છે.. યુવતીની અસ્થિર માનસિક પરિસ્થિતિનો લાભ લઈ ગામનાજ નરાધમે પીડિતાને પોતાના હવસનો શિકાર બનાવ્યા બાદ હાલ પીડીતાએ એક બાળકીને જન્મ આપ્યો. દુષ્કર્મના પરિણામે માનસિક અસ્થિર પીડિતાને રહેલ ગર્ભ બાદ જયારે ગત 15 મી એપ્રિલે પીડિતાને પ્રસુતિ પીડા ઉપડી તો ગરીબ આદિવાસી પરિવારે જિલ્લાના સૌથી મોટા સરકારી દવાખાના એવા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં જવાનું નક્કી કર્યું. પરંતુ જનરલ હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉકટર ની જગ્યા ખાલી હોય બે દિવસની સારવાર બાદ પીડિતાની તબિયત નાદુરસ્ત થતાં ફરજ ઉપર હાજર મેડિકલ ઓફિસરને મજબૂર બની પીડિતાના પરિવારને દર્દી ને વડોદરા લઈ જવા જણાવ્યું. ગરીબ, આદિવાસી પરિવાર પાસે એટલો સમય ના હતો કે પીડિતાને વડોદરા લઈ જાય એટલે લાચાર માતા પિતાએ ખાનગી દવાખાનામાં સારવાર લીધી જયાં પીડીતાએ એક બાળકીને જન્મ આપ્યો.
સરકારે બેટી બચાવો બેટી પઢાવો, જનની સુરક્ષા યોજના, ચિરંજીવી યોજના જેવી અનેક યોજનાઓ ગરીબો આદિવાસીઓ માટે બનાવી છે પરંતુ આ લાચાર ગરીબ અસ્થિર મગજની પીડીતાને કોઈ યોજનાનો લાભ મળ્યો નહિ અને પીડિતાના પરિવારે ખાનગી દવાખાનાની જંગી રકમ ભોગવવાનો વારો આવ્યો. મજબૂર ગરીબ માતાપિતાએ ઉછીના રૂપિયા લઈ દવાખાનાનું બિલ ચૂકવ્યુ. આટલેથી જ પીડીતા અને તેની પરિવારની પીડા અટકી નહિ. પીડિતાને દવાખાના માંથી ડિસ્ચાર્જ કર્યા બાદ ઘરે જવા માટે પણ સરકારની યોજના કામ ના લાગી. ખાનગી દવાખાનામાં પ્રસૂતિનું કારણ આપી ખિલખિલાટ પણ ના આવી. પીડિતાને અસહ્ય દર્દ સાથે ચાલીને રીક્ષા સ્ટેન્ડ સુધી જવું પડ્યું અને રીક્ષા માં બેસીને પોતાના ઘરે જવાનો વારો આવ્યો.