છોટાઉદેપુર જિલ્લામાં રેતીની લીઝમાં કરોડોનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવા મામલે ખુદ છોટાઉદેપુર ભાજપના મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભાજપના નેતા રાઠવાએ કહ્યું કે અધિકારીઓ તેમના મળતીયાઓને લાભ આપી રહયા છે.
નેતાએ કહ્યું કે આ અંગે તા. 13 જુલાઇએ કલેક્ટરને પત્ર લખ્યો હતો પણ તનો આજ દિવસ સુધી કોઇ જવાબ મળ્યો નથી.
ખાણ ખનીજમાં કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે.
બ્લોક ધારકો 100 રૂપિયાથી લઇને 400 રૂપિયા સુધીની રોયલ્ટી આપે છે. બીજી બાજુ લીઝધારકો પ્રતિ ટન માત્ર 45 રૂપિયા રોયલ્ટી ચુકવે છે. જેથી સરકારને તિજોરીને નુકસાન થઈ રહ્યું છે.
તેઓએ મોટો ખુલાસો કર્યો કે છોટાઉદેપુર ખાણ ખનીજ ખાતામાં અગાઉ નોકરી કરતા સુપરવાઇઝર નામે 9 લીઝ ચાલે છે અને રાજ્યભરમાં તેમના નામે 50 લીઝ ચાલે છે.
આવા અધિકારીઓ દ્વારા આ બધુ એકબીજામાં મેળાપીપણામાં ચાલી રહ્યું હોવાની ચોંકાવનારી વાત કરી તપાસનો આદેશ કરવા માંગ કરી છે.