Bharuch: વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક. ઇસ્લામ, ઈશ્વરપ્રેરિત વિશ્વવ્યાપી ધર્મપરંપરાનો એક ભાગ છે.
જેના પવિત્ર ગ્રંથ કુરાન અને હદીસ અનુસાર ઇસ્લામનો આધાર પાંચ મૂળભૂત સિદ્ધાંતો ઉપર રહેલો છે : (1) ઈમાન, (2) નમાજ, (3) રોજા, (4) જકાત, (5) હજ.
આમતો-ઇસ્લામનો નવમો મહિનો રમઝાન નો પવિત્ર મહિનો ગણવામાં આવે છે આમાં સૂર્યોદય પહેલાંથી લઇ સૂર્યાસ્ત (મગરીબ) સુધીના સમય દરમિયાન ભૂખ્યા તરસ્યા રહી રોઝો રાખવો દરેક સમર્થ મુસલમાન માટે ફરજીયાત છે.આમાં દરેક પ્રકારના ખોરાક અને પીણા પર પ્રતિબંધ હોય છે
રોઝાના મુખ્ય બે હેતુઓ છે .એક દુનિયાની બધી પ્રવૃત્તિઓથી દૂર થઇ માત્ર ઇશ્વરમાં ધ્યાન લગાવવું અને બીજું ગરીબ, ભિખારી અને દિનદુખીયાઓ માટે સહાનુભૂતિ ઉપજે અને એમની મુશ્કેલીઓની અનુભૂતિ થાય.
કેટલાક લોકો રબને રાજી કરવા રમઝાન માસ અઞાઉ થી જ શરૂ કરી રમઝાન સાથે સાડાત્રણ મહીના ના રોઝા પણ રાખતા હોય છે આવા જ સાડાત્રણ મહીના ના રોઝા અંકલેશ્વર શહેર ના હાઉસિંગ બોર્ડ ના મકાન નંબર 72 ખાતે રહેતા સિકંદર યુસૂફ કડીવાળા ની 12 વર્ષીય દીકરી અસરા સિકંદર કડીવાળા એ પુરા કયૉ હતા સાડાત્રણ મહીના ના રોઝા કરી 12 વર્ષીય દીકરી અસરા એ પોતાનો વધુ મા વધુ સમય ઈબાદત બંદગી મા ઞુજારી રબ ને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો.