બોડેલી ખાતે આવેલ નર્મદા નિગમની વસાહતમાં બાર થી વધુ બિલ્ડીંગો જર્જરિત છે આ બિલ્ડીંગોમાં નર્મદા નિગમ ભાડું મેળવવાની લ્હાયમાં સો જેટલા શિક્ષક પરિવારોને મકાનો ભાડે આપ્યા છે આ બિલ્ડીંગો ગમે ત્યારે તૂટી પડે તેમ છે પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ આ હકીકત જાણતા હોવા છતાં બિલ્ડીંગો ભાડે આપીને લોકો ના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નર્મદા નિગમની માલિકીની જગ્યામાં બારથી વધુ બિલ્ડીંગો આવેલી છે. પાંચ એકરથી વધુ જગ્યામાં કમ્પાઉન્ડ આવેલું છે આ જગ્યામાં મોટા મોટા ઝાડી ઝાખરા ઊગી નીકળ્યા છે અહીંયા મહત્વની બાબત એ છે કે જે બિલ્ડીંગો છે તેના સ્લેબના પોપડા ખરી પડ્યા છે. ગટરો ની સુવિધા નથી પાયા ના સળિયા દેખાય છે ત્યારે બારી દરવાજા બારણા તૂટી ગયેલ છે તો પણ નર્મદા નિગમે સો થી વધુ શિક્ષકો ને ભાડું ઉઘરાવવાની બિલ્ડીંગો ભાડે આપ્યા છે જીવનના જોખમે ઓછા ભાડામાં મળતા મકાનોમાં શિક્ષકો રૂપિયા બચાવવા માટે મજબૂરી માં રહે છે જ્યારે નર્મદા નિગમ ની આ તમામ બિલ્ડીંગો ખખડધજ છે ગમે ત્યારે જમીનદોસ્ થાય તેવી છે પરંતુ નર્મદા નિગમ સરકારી આવક બતાવવા માટે સો જેટલા શિક્ષકોને મકાન ભાડે આપ્યા છે નર્મદા નિગમ ના અધિકારીઓ દ્વારા આ બિલ્ડીંગો રિપેર કરવા માટે વારમવાર ગ્રાન્ટ ની માંગણી કરેલ છે પરંતુ સરકાર ગ્રાન્ટ આપતી નથી જ્યારે નર્મદા નિગમમાં કર્મચારીઓ દિવસે દિવસે રિટાયર થઈ રહ્યા છે આ બિલ્ડીંગો ની જરૂરિયાત ઓછી થઈ રહી છે આ બિલ્ડિંગ નર્મદા નિગમના કર્મચારીઓ માટે બનાવવામાં આવ્યા હતાં
પરંતુ હાલમાં નર્મદા નિગમના કર્મચારીઓ ના રહેતા હોવાથી આ બિલ્ડીંગો નર્મદા નિગમે આવક બતાવવા સરકારી કર્મચારીઓ શિક્ષકો ને ભાડે આપીને તેમાંથી ભાડાની આવક નર્મદા નિગમ કરી રહી છે. શિક્ષક પરિવારોના જણાવ્યા પ્રમાણે બોડેલી બજારમાં ગામમાં મકાનોનું ભાડું પાંચ થી છ હજાર રૂપિયા ભાડું છે પરંતુ નર્મદા નિગમના મકાન બે હજાર રૂપિયા ભાડું વસૂલે છે અમોને દર માસે ભાડાના રૂપિયા ની બચત થાય છે માટે જીવના જોખમે નર્મદા નિગમ વસાહત માં રહીએ છીએ આ નર્મદા નિગમ વસાહત માં અમુક બિલ્ડીંગો પર આ બિલ્ડિંગ ભય જનક છે તેવા બોર્ડ લગાવેલા છે રાજ્ય સરકારે ભય જનક બિલ્ડીંગો તોડી પાડવાનો પરિપત્ર જાહેર કરેલ છે પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ ની બેદરકારી ના કારણે અને ભાડું વસુલવા તેમજ સરકાર માં આવક બતાવવા બિલ્ડીંગો તોડી પાડવામાં આવતી નથી
વડોદરા ખાતે એક જર્જરિત વસાહત તૂટી પડી હતી ત્યારે રાજ્ય સરકારે ભય જનક બિલ્ડીંગો નું સર્વે કરીને તોડી પાડવાનો પરિપત્ર જાહેર કરેલ છોટાઉદેપુર જિલ્લા માં બોડેલી નસવાડી સંખેડા માં પણ નર્મદા નિગમની જર્જરિત વસાહતો આવેલી છે