છોટાઉદેપુર જિલ્લામાં બારસો અડતાલીસ પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં પાંચસો એક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નથી અને બસો સુમ્તાલીસ પ્રાથમિક શાળાઓમાં રમ્મત ગમ્મત નું મેદાન નથી જેના કારણે સરકાર એક તરફ કહે છે રમશે ગુજરાત દોડ સે ગુજરાત પરંતુ શાળાઓમાં મેદાન જ નથી તો બાળકો ક્યાંથી રમ્મત ગમ્મતમાં ભાગ લઈ શકશે તે ચર્ચા નો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં છ તાલુકા આવેલા છે જેમાં બારસો અડતાલીસ પ્રાથમિક શાળાઓ આવેલી છે એક લાખથી વધુ બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેમાં ચોંકાવનારી સત્ય વિગતો બહાર આવી છે છ તાલુકા ની પ્રાથમિક શાળાઓમાં પાંચસો એક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ નથી તેમજ બસો સુમ્તાલીસ પ્રાથમિક શાળાઓમાં રમ્મત ગમ્મત ના મેદાન નથી
સરકાર દ્વારા રમ્મત ગમ્મતમાં પ્રાથમિક શાળા ના બાળકો રમત ક્ષેત્રે આગળ આવે તે માટે ખેલ મહાકુંભ તેમજ અન્ય રમ્મત ગમ્મત ના કાર્યકમો તાલુકા મથક અને જિલ્લા મથકે યોજે છે પરંતુ બસો સુમ્તાલીસ પ્રાથમિક શાળાઓમાં રમ્મત ગમ્મત નું મેદાન ના હોવાથી આ શાળાઓના બાળકો રમ્મત ગમ્મત ક્ષેત્રે પાછળ રહી જાય છે તેઓને રમ્મત ગમ્મત નું જ્ઞાન મળતું નથી. આ માટે જિલ્લા ના અધિકારીઓ અને તાલુકા મથક ના અધિકારીઓ ની નિષ્કાળજી ના કારણે આટલી મોટી સંખ્યા માં શાળાઓમાં રમ્મત ગમ્મત ના મેદાન ન હોવાથી રમશે ગુજરાત દોડશે ગુજરાત ના સૂત્રો સાબિત થશે
જ્યારે આદિવાસી બાળકોના વાલીઓ ના જણાવ્યા મુજબ સરકાર અને જિલ્લાના અધિકારીઓની નિષ્કાળજી ના કારણે ગરીબ આદિવાસી બાળકો ને શિક્ષણ સાથે રમ્મત ગમ્મત ની જરૂરિયાત હોય છે પરંતુ આદિવાસી બાળકો ને શિક્ષણ સાથે રમ્મત ગમ્મત ની જરૂરીઆત હોય છે પરંતુ આદિવાસી બાળકોને રમ્મત માં તેમજ શિક્ષણ માં પાછળ રાખવાનો પ્રયત્ન છે સરકાર એક તરફ કહે છે કે રમ્મત ગમ્મત નું મેદાન ના હોય તો શાળા ખોલવાની પરવાનગી આપવામાં આવતી નથી
ત્યારે સરકાર ની જ બસો સુમ્તાલીસ પ્રાથમિક શાળાઓમાં રમ્મત ગમ્મત ના મેદાન જ નથી તો સરકાર શું પગલાં લેશે તે જોવું રહ્યું