વલસાડમાં યોજાશે મુખ્યમંત્રીનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ, 10મી ઓક્ટોબર સુધીમાં અરજદારો કરી શકે છે અરજી

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

ફરિયાદ નિવારણ: ‘સ્વાગત’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 10 ઓક્ટોબર સુધીમાં અરજીઓ સબમિટ કરો; આ કેસોની સુનાવણી કરવામાં આવશે નહીં.

રાજ્યમાં નાગરીકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરીયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે મુખ્યમંત્રીએ “જિલ્લા સ્વાગત”, “તાલુકા સ્વાગત” કાર્યક્રમ ચાલુ કર્યો છે. ઓક્ટોબર-2025 માટે સ્વાગત કાર્યક્રમ હેઠળની અરજીઓ કરવા માટે તારીખ જાહેર કરવામાં આવી છે.

ઓક્ટોબર-2025નો તાલુકા સ્વાગત કાર્યક્રમ 29-10-2025ના રોજ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 30-10-2025 રોજ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં રજુઆત કરવા માંગતા અરજદારોએ પોતાના પ્રશ્નો-રજુઆતોનાં નિકાલ માટેની વિગતવાર અરજી, જરૂરી આધાર પુરાવાઓ સહીત અરજીઓ “મારી અરજી તાલુકા સ્વાગત/જિલ્લા સ્વાગતમાં લેવી” તેવા મથાળા હેઠળ 10-10-2025 સુધીમાં બિનચુક રજુ કરવાની રહે છે.cm 34

- Advertisement -

આ અરજીઓ પૈકી તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર ગ્રામ-તાલુકાની અરજીઓનો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 29-10-2025, બુધવારના રોજ જે-તે તાલુકાની મામલતદાર કચેરીમાં સવારે 11-00 કલાકે યોજવામાં આવશે, જેથી અરજી કરનાર અરજદારોને જે-તે મામલતદાર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજુઆત કરવાની રહેશે.

અરજીઓ પૈકી જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 30-10-2025 ને ગુરુવારના રોજ કલેકટર કચેરી, વલસાડનાં સભાખંડમાં સવારે 11:00 કલાકે યોજવામાં આવશે. આ અંગે જે તે અરજદારોને કલેકટર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજુઆત કરવાની રહેશે.

- Advertisement -

ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં નીચે જણાવેલી અરજીઓ લેવામાં આવશે નહી, જેની સબંધકર્તાઓએ નોંધ લેવી.(1) કોર્ટ કેસ/સબ જ્યુડીશીયલ બાબતો/માહિતી અધિકાર હેઠળની અરજીઓ/સેવાકીય બાબતો/કોઇ ખાતાની નિમણુંકની બાબતો સર્વિસ મેટર અને અરજદારની સહી વગરની અરજીઓ અને (2) સ્વાગત કાર્યક્રમમાં અરજદાર બે થી વધુ પ્રશ્ન રજુ કરી શકશે નહી એવું માહિતી વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.