અમદાવાદઃ ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર આવ્યા છે. દેશભરમાં જીવલેણ વાયરસના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે કોરોના વેક્સિનેનનું પણ મહા અભિયાન શરૂ થયું છે. જ્યારે આ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે આંનદના સમાચાર સામે આવ્યા છે. જેમાં ક્રિકેટ રસીકો અમદાવાદ શહેરમાં યોજાનારી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ હવે મેદાનમાં જઈને નિહાળી શકાશે. નોંધનીય છે કે મોટેરા સ્ટેડીયમનું બાંધકામ થયા પછી આ મેદાનમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ રમાશે.
હવે પ્રથમ મેચ રમવાની છે. તે અંગે અમદાવાદીઓ પણ ઘણા એક્સાઈટ છે. જેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની 3જી અને 4થી ટેસ્ટ મેચ અમદાવાદ શહેરના મોટેરા સ્ટેડિયમમાં યોજાશે. આ મામલે ગુજરાત ક્રિકેટ એશોસિયેશનના અધ્યક્ષ ધનરાજ નથવાણીએ પણ એક અહેવાલમાં મોટું નિવેદન આપ્યું છે કે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચ માટે તમામ તકેદારીઓ સાથે દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.
ભારત ઇંગ્લેન્ડ સિરિઝ ક્રિકેટ મેચ
- પ્રથમ ટેસ્ટઃ 5-9 ફેબ્રુઆરી, ચેન્નાઇ, સમય- સવારે 30 વાગે
- બીજી ટેસ્ટઃ 13-17 ફેબ્રુઆરી, ચેન્નાઇ, સવારે 30 વાગે
- ત્રીજી ટેસ્ટઃ 24-28 ફેબ્રુઆરી, અમદાવાદ (ડે-નાઇટ), સમય- બપોરે 30 વાગે
- ચોથી ટેસ્ટઃ 4-8 માર્ચ, અમદાવાદ, સમય- સવારે 30 વાગે
ટી20 સીરીઝ….
- પ્રથમ ટી20- 12 માર્ચ, અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
- બીજી ટી20- 14 માર્ચ, અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
- ત્રીજી ટી20- 16 માર્ચ, અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
- ચોથી ટી20- 18 માર્ચ, અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
- પાંચમી ટી20- 20 માર્ચ, અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
વનડે સીરીઝ…
- પ્રથમ વનડેઃ- 23 માર્ચ, પૂણે, સમય- બપોરે 30 વાગે
- બીજી વનડેઃ – 26 માર્ચ, પૂણે, સમય- બપોરે 30 વાગે
- ત્રીજી વનડેઃ – 28 માર્ચ, પૂણે, સમય- બપોરે 30 વાગે
બીજી તરફ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં બે ટેસ્ટ મેચ રમાશે, ઉલ્લેખનીય છે કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મેચને નિહાળવા અને માણવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ શહેર આવે તેવી પ્રબળ શક્યતાઓ પણ સેવાઈ રહી છે. એક અહેવાલ મુજબ BCCIએ ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ અંગે પીએમ મોદી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજ્જિુને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.