ભારત સામે વર્લ્ડ કપની મેચમાં રવિવારની મેચમાં શરમજનક રીતે પરાસ્ત થયેલી પાકિસ્તાની ટીમના ઍ પરાજય માટે પાકિસ્તાની મીડિયાઍ ટીમના ખેલાડીઓ વચ્ચેના પરસ્પરના મતભેદ અને સરફરાઝ અહેમદ સામેની નારાજીને જવાબદાર ગણાવ્યા હતા. પાકિસ્તાની ક્રિકેટ જગત માટે ભારત સામે ક્યાંયપણ મળેલો પરાજય પચાવવો મુશ્કેલ હોય છે. માન્ચેસ્ટરમાં રવિવારે મળેલા પરાજય પછી પાકિસ્તાની મીડિયા તે અંગે સંશોધન કરવા માંડ્યું છે.
દુનિયા સમાચાર ચેનલે પાકિસ્તાની ટીમ આમિર અને બીજુ ઇમાદ ઍમ બે જૂથમાં વહેંચાયેલી હોવાનું કહ્યું
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ ‘સમા’ઍ પોતાના ઍક અહેવાલમાં કહ્યું હતું કે આઉટ થયા પછી ડ્રેસિંગ રૂમમાં સરફરાઝ અહેમદે પોતાનો કાબુ ગુમાવીને ઇમાદ વસીમ અને ઇમામ ઉલ હક સહિતના પાકિસ્તાનના ખેલાડીઓ પર પોતાના વિરુદ્ધ જૂથબંધીનો આરોપ મુક્યો હતો. જ્યારે દુનિયા સમાચાર ચેનલે કહ્યું હતું કે પાકિસ્તાની ટીમ બે જૂથમાં વહેંચાઇ ગઇ છે, જેમાંથી ઍક જૂથ મહંમદ આમિરનું અને બીજુ જૂથ ઇમાદ વસીમનું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પરાજય પછી પણ ઍક પ્રસિદ્ધ અભિનેતા અને ક્રિકેટ ચાહકે સોશિયલ મીડિયા પર સંદેશ મુકયો હતો કે શોઍબ મલિક, ઇમામ અને બાબર સરફરાઝ સામે જૂથબંધી ચલાવી રહ્યા છે. જો કે જે બે ખેલાડીઓને સરફરાઝે આવું કહ્યું હોવાનું કહેવાય છે તે બંનેઍ કોઇ જૂથબંધી હોવાનું નકાર્યુ હતું, તેમણે ઍ કબુલ્યું હતું કે સરફરાઝ ડ્રેસિંગરૂમમાં ગુસ્સે થયો હતો પણ તેણે આવી જૂથબંધીવાળી કોઇ વાત કરી નહોતી.