હાલ ભારતના ક્રિકેટરો વચ્ચે લગ્નની સીઝન ચાલી રહી છે આજે વધુ એક ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર લગ્ન સંબંધથી જોડાયો છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરે પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશ્વરનની સાથે સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આ બંનેએ આઈપીએલ 2020ની શરૂઆત પહેલા સગાઈ કરી હતી અને તેની જાહેરાત પણ તેમણે સોશિયલ મીડિયા પર કરી હતી. વિજય શંકરે 26 જાન્યુઆરીએ પોતાના 30મો જન્મ દિવસ મનાવ્યો હતો અને આ સાથે જ તે શાનદાર ખબર આવી હતી. તેના લગ્નની ખબર આવ્યા બાદ તેના ફેન્સ તેને ખોબલેને ધોબલે શુભકામના ઓ આપી રહ્યા છે. સાથે જ તેની આઈપીએલ ફ્રેંચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદે પણ શુભકામના આપી છે.
વિજયં શંકરને હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેને ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવામાં આવ્યો નહોતો. વિજય શંકરે ભારત માટે વર્ષ 2018માં ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી 20માંથી ડેબ્યુ કર્યુ હતું અને પોતાની પ્રથમ મેચ શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં રમ્યો હતો. વિજય શંકર તે દિવસોમાં પોતાના પ્રદર્શનના કારણે ખૂબ ચર્ચામાં આવ્યો હતો. અને તેને ઈંગ્લેન્ડમાં રમાયેલી 2019 વન ડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ પણ બનાવ્યો હતો. જો કે, તેને જેટલી મેચોમાં મોકો આપવામાં આવ્યો હતો, તેમાં તે ખાસ કંઈ કરી શક્યો નહોતો. બાદમાં તે ઈજાગ્રસ્ત થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જો કે, પછી તો તેની જગ્યાએ રિષભ પંતને મોકો આપવામાં આવ્યો હતો.
વિજય શંકરે ભારત માટે પોતાની પહેલી વન ડે મેચ 18 જાન્યુઆરી 2019ના રોજ મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યા હતા. ભારત માટે રમતા 12 વન ડે મેચોમાં તેણે અત્યાર સુધીમાં કુલ 223 રન અને 4 વિકેટ લીધી હતી. જ્યારે 9 ટી 20 મેચોમાં તેણે 101 રન બનાવ્યા હતા અને 5 વિકેટ લીધી હતી. આઈપીએલમાં હાલમાં તે એસઆરએચનો પાર્ટ છે. તથા ટીમે તેને આ સીઝનમાં રિટેન કર્યો છે.