પાકિસ્તાની વડાપ્રધાન અને માજી ક્રિકેટ કેપ્ટન ઍવા ઇમરાન ખાને રવિવારની મેચ માટે પાકિસ્તાની ટીમના કેપ્ટન સરળરાઝ અહેમદને આપેલી સલાહને સરફરાઝે અવગણી હતી. હકીકતમાં ઇમરાન ખાને સરફરાઝને ઍવી સલાહ આપી હતી કે ટોસ જીતે તો ખચકાયા વગર બેટિંગ કરવાનું પસંદ કરજે, જો કે સરફરાઝે ટોસ જીત્યા પછી ફિલ્ડીંગ પસંદ કરી હતી.
ઇમરાન ખાને મેચ પહેલા ઍક પછી ઍક કુલ પાંચ ટ્વિટ કર્યા હતા, આ ટ્વિટમાં તેમણે સલાહ આપી હતી કે જા પીચ ભીની ન હોય તો સરફરાઝ અહેમદ જા ટોસ જીતે તો તેણે કોઇ પણ ખચકાટ વગર બેટિંગ કરવાનું પસંદ કરવું જાઇઍ. જાકે ટોસ વખતે બંને ટીમના કેપ્ટનનો મત ઇમરાન ખાનથી અલગ હતો. સરફરાઝે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી અને વિરાટને જ્યારે પુછાયું કે તું ટોસ જીત્યો હોત તો તુઍ શું કર્યુ હોત ત્યારે વિરાટે પણ કહ્યું હતું કે મેં પણ બોલિંગ કરનવાનું જ પસંદ કર્યુ હોત.