પાકિસ્તાની ટીમના માજી ઓલરાઉન્ડર અબ્દુલ રઝ્ઝાકે પાકિસ્તાની ટીમને હચમચાવનાર સ્પોટ ફિક્સીંગ સંબંધે ઍક સનસનીખેજ દાવો કરતાં કહ્યું હતું કે તે સમયે વનડે ટીમના કેપ્ટન શાહિદ આફ્રિદીનો ઍક તમાચો ખાધા પછી મહંમદ આમિરે સ્પોટ ફિક્સીંગમાં સામેલ હોવાની વાત સ્વીકારી હતી, જ્યારે ઓપનર સલમાન બટ તો 2011ના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાથી જ આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સંકળાયેલો હતો.
પાકિસ્તાનની ઇમેજને ધબ્બો લગાવનારી આ ઘટનાનો ઉલ્લેખ રઝ્ઝાકે ઍક ટીવી ઇન્ટરવ્યુમાં કર્યો હતો. રઝ્ઝાકે કહ્યું હતું કે આફ્રિદીઍ મને રૂમમાંથી બહાર જવા કહ્યું અને થોડી જ વારમાં તમાચાનો અવાજ સંભળાયો અને પછી આમિરે હકીકત કબુલી લીધી. જો કે આ ઓલરાઉન્ડરે પરિસ્થિતિ સામે યોગ્ય રીતે કામ નહીં લેવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જવાબદાર ઠેરવ્યું હતું.