ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માની સૌથી મોટી તાકાત તેનો શાંત સ્વભાવ છે અને પિતા બન્યા પછી તેમાં વધારો થયો છે અને તેની સીધી અસર વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનમાં પણ જાવા મળી રહી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી, તે પછી ઓસ્ટ્રેલિયા સામે અર્ધસદી અને હવે પાકિસ્તાન સામે ફરી ઍક સદી ફટકારી હતી.
રોહિતે કહ્યું હતું કે હું હાલમાં જીંદગીના ઍક સારા મુકામે છું. પુત્રીના આગમન પછી ઍ થયું છે અને હું ક્રિકેટનો પુરો આનંદ માણી રહ્યો છું. તેણે કહ્યું હતું કે ઍક ટીમ તરીકે અમે યોગ્ય દિશામાં જઇ રહ્યા છીઍ. અમારા માટે દરેક વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું જરૂરી છે અને અમે ઍ જ કરી રહ્યા છીઍ.
પાકિસ્તાની બોલરો હસન અલી અને વહાબ રિયાઝે તેને શોર્ટ પીચ અને ઓફ સ્ટમ્પ બહાર જતી બોલિંગ કરી તેનાથી શું તેને નવાઇ લાગી હતી ઍવા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે મને નથી ખબર કે તેમની બેઠકમાં શું થયું, તેઓ ફુલ લેન્થ બોલ ફેંકવા માગતા હતા કે શોર્ટ. પહેલી 10 ઓવરમાં તેમણે સારી બોલિંગ કરી. અમને ખબર છે કે ઇંગ્લેન્ડમાં ઍક વાર પ્રેશરમાં આવી ગયા પછી બોલર માટે વાપસી કરવી મુશ્કેલ છે.