શહેરમાં આઈપીએલની મેચ રમાઈ રહી છે. શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ રમાઈ હતી. અમદાવાદ પોલીસે ટિકિટના કાળાબજાર અંગે ચેતવણી આપતા નોટિસ જાહેર કરી છે. મેચની ટિકિટના કાળાબજાર અટકાવવા પોલીસે રણનીતિ તૈયાર કરી છે. શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ ત્રણથી વધુ આઈપીએલ ટિકિટ રાખી શકશે નહીં.
બ્લેક માર્કેટિંગ રોકવા પોલીસ એક્શનમાં આવી
પોલીસ કમિશ્નરની જાહેરાત મુજબ IPL મેચની ટીકીટોના કાળાબજાર, નિર્ધારિત કિંમત કરતા વધુ કિંમતે ટીકીટનું વેચાણ કરનાર અને પોલીસના હાથે પકડાયેલ કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ સૂચના 28 મે સુધી અમલમાં રહેશે. અમદાવાદમાં રમાતી IPL મેચોની ટિકિટના બ્લેક માર્કેટિંગમાં સંડોવાયેલા લોકોની પોલીસે ધરપકડ કરી છે. જેના કારણે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. મેચની ફાઈનલની ટિકિટોના બ્લેક માર્કેટિંગને રોકવા માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે.
સ્ટેડિયમની આસપાસ 20 જેટલા પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. પરંતુ ગુરુવારે માંડ 4 પાર્કિંગમાં વાહનોનું એડવાન્સ બુકિંગ થયું હતું. મેચ બાદ સ્ટેડિયમની અંદર અને બહાર એક DIG, 7 DCP, 10 ACP, 90 PI-PSI, 1500 પોલીસકર્મીઓ અને 1000 ટ્રાફિક અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. જ્યારે મેચ બાદ શુક્રવાર અને રવિવારે બપોરે 2 વાગ્યાથી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો વાહનચાલકો માટે બંધ રહેશે. જ્યારે તપોવન સર્કલ ઓએનજીસીથી વિસત થઈ જનપથ ટી થઈ પ્રબોધ રાવલ સર્કલ જશે.