ઇન્ડિયા -પાકિસ્તાનની મેચ લાંબા સમય બાદ યોજાઈ રહી છે.આ મેચથી નાગરિકોમાં ઉત્સાહ જોવા મળશે.લોકોએ મેચની તૈયારી અગાઉથી જ કરી છે.રવિવારનો દિવસ હોવાથી લોકો મેચ જોવામાં સમય વિતાવશે.અમદાવાદમાં પણ અનેક જગ્યાઓમાં મેચ જોવા માટે આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે દેશના 40 શહેરોમાં થિયેટરમાં પણ મેચ બતાવવામાં આવશે.એક દિવસ પહેલા થિયેટર હાઉસફુલ થઇ ગયું છે.આમ તો કોરોના બાદ લોકો થિયેટરમાં જતા ન હતા.ત્યારે આ મેચનું આયોજન કરતા જ લોકોએ મુવી કરતા વધુ રસ ક્રિકેટ મેચમાં રાખ્યો હોય તેવો માહોલ જણાય છે.
PVRમાં મેચ એક ફિલ્મની જેમ શરૂ થશે
આ મેચ અમદાવાદના PVRના 3 થિયેટરોમાં પણ બતાવવામાં આવશે. ભારત-પાકિસ્તાન મેચ થલતેજના એક્રોપોલિસ, રાણીપના આર્વેદ ટ્રાન્સ ક્યુબ પ્લાઝા અને મોટેરા PVR ખાતે બતાવવામાં આવશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. તે સમયે થિયેટરમાં મેચ ફિલ્મની જેમ શરૂ કરવામાં આવશે. આખી મેચ થિયેટરમાં દર્શકોને બતાવવામાં આવશે. ક્લાસિક ટિકિટની કિંમત 399 રૂપિયા, પ્રાઇમ ટિકિટની કિંમત 399 રૂપિયા અને રિક્લ્યાનરની ટિકિટની કિંમત 649 રૂપિયા રાખવામાં આવી છે.
છેલ્લા બોલ સુધી મેચ બતાવવામાં આવશે :PVR ગુજરાતના મેનેજર
PVRના ગુજરાત મેનેજર સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, “અમે 3 થીયેટરોમાં 8 અલગ-અલગ સ્ક્રીન પર મેચ બતાવવા જઈ રહ્યા છીએ.” મોટાભાગની સ્ક્રીન હવે હાઉસફુલ થઇ ગઈ છે. ઓનલાઈન બુકિંગ વધ્યું છે અને બુકિંગ ત્યારે જ કરવું જયારે ઓનલાઇન ટિકિટ દેખાય. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે અને મેચના છેલ્લા બોલ સુધી મેચ બતાવવામાં આવશે અને સરકારી નિયમોનું પણ પાલન કરવામાં આવશે.
સુરતમાં પણ મેચ માટે 60 ટકા બેઠકો બુક કરવામાં આવી હતી.
સુરતમાં પણ ભારત-પાકિસ્તાન T20 મેચને લઈને ઉત્સાહનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. ક્રિકેટ પ્રેમીઓ પોતપોતાની રીતે આયોજન કરી રહ્યા છે. સુરતના ત્રણ સિનેમા હોલની 60 ટકા જેટલી સીટો બુક થઈ ગઈ છે. જ્યાં રવિવારે લોકો ફિલ્મ જોવા માટે ઉમટી પડે છે. રવિવારે ભારત-પાકિસ્તાન મેચ જોવા લોકો ત્યાં એકઠા થશે. એટલું જ નહીં મેચની સાથે સિનેમા હોલમાં ગરમાગરમ નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોલ સવારથી જ ખુલ્લા રહેશે પરંતુ સાંજે શરૂ થનારી મેચ દરમિયાન કેટલાક અલગ અને સ્વાદિષ્ટ ગરમ નાસ્તા સાથે મેચ ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. VRમાં 234 સીટ અને 2 સ્ક્રીન,DR વર્લ્ડમાં 190 સીટ અને રાજ ઈમ્પીરીયલમાં 240 સીટ પૈકી 60 ટકા સીટનું બુકિંગ થઈ ગયું હોવાની વાત સામે આવી રહી છે.