ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ વેસ્ટઇન્ડિઝ પ્રવાસે રવાના થતાં પહેલા કહ્યું હતું કે જો રવિ શાસ્ત્રી ફરી કોચ બનશે તો અમને ખુશી થશે. જા કે આ બાબતે જેમને કોચ પસંદ કરવાની જવાબદારી સોંપાઇ છે તે ક્રિકેટ સલાહકાર સમિતિ (સીઍસી)ના સભ્ય અંશુમન ગાયકવાડે કહ્યું હતું કે અમે કોચ પસંદગી માટેના ઇન્ટરવ્યુ ખુલ્લા મને કરીશું. કોઇ સાથે પક્ષપાતપૂર્ણ વલણ અપનાવવામાં નહીં આવે.
ગાયકવાડે કહ્યું હતું કે ભારત અને વિદેશથી ઘણાં લોકોઍ કોચ પદ માટે ઉમેદવારી નોંઘાવી છે. કેપ્ટન કંઇપણ કહે અમને તેનાથી કંઇ ફરક પડતો નથી. અમે ઍક કમિટીમાં છીઍ, ઍ તેનો વ્યક્તિગત વિચાર છે, તેના પર બીસીસીઆઇ કોઇ નિર્ણય લઇ શકે અમે નહીં, તેમણે કહ્યું હતું કે કોહલી કે શાસ્ત્રી ગમે તે કહે, અમે બીસીસીઆઇ અનુસાર ચાલીશું. કોહલીઍ પ્રેસ કોન્ફરન્સમાં જે કહ્યું તેની સાથે અમારે કોઇ લેવાદેવા નથી.
કોચ તરીકે કોને ઇચ્છે છે તે કહેવાનો કોહલીનો અધિકાર : સૌરવ ગાંગુલી
માજી ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીઍ બુધવારે અહીં ઍવું કહ્યું હતું કે ટીમના કેપ્ટન હોવાના નાતે વિરાટ કોહલી પાસે કોચ પસંદગી પ્રક્રિયા પર પોતાનો મત આપવાનો પુરો અધિકાર છે. ભારતીય ટીમ વર્લ્ડકપની સેમી ફાઇનલમાંથી આઉટ થઇ તે પછી પહેલીવાર મીડિયા સાથેની વાતચીતમાં કોહલીઍ ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રી જળવાઇ રહેવાનું સમર્થન કર્યુ હતું. ગાંગુલીઍ આ બાબતે તેનું સમર્થન કરતાં કહ્યું હતું કે તે કેપ્ટન છે અને આ બાબતે બોલવાનો સંપૂર્ણ અઘિકાર ધરાવે છે.
લાલચંદ રાજપુતે પણ મુખ્ય કોચના પદ માટે દાવેદારી કરી
ભારતીય ટીમના માજી મેનેજર લાલચંદ રાજપુતે પણ ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા માટે પોતાની દાવેદારી નોંઘાવી છે. રાજપુત હાલમાં ઝિમ્બાબ્વેની ટીમના કોચ છે. આઇસીસીઍ સરકારી હસ્તક્ષેપને કારણે ઝિમ્બાબ્વે ક્રિકેટને સસ્પેન્ડ કરી દીધા પછી હવે રાજપુતે આ રસ બતાવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં 2007માં ટી-20 વર્લ્ડકપ વિજેતા થયેલી ટીમના મેનેજર તરીકે રાજપુત હતા. રાજપુતે નિર્ધારિત સમયમર્યાદા પુરી થવા પહેલા દુબઇ ઍરપોર્ટ પરથી જ બીસીસીઆઇને પોતાની અરજી મોકલાવી હતી..
કોચ પદ માટે મુડી, હેસન, જયવર્ધને, રોબિન સિંહ અને લાલચંદ રાજપુતની દાવેદારી
ભારતીય ટીમના મુખ્ય કોચ પદે રવિ શાસ્ત્રી જ રહે ઍવું વિરાટ કોહલી ભલે ઇચ્છતો હોય પણ હાલમાં જે મોટા નામોઍ દાવેદારી નોંધાવી છે તેને ધ્યાને લેતા ઍવું લાગે છે કે શાસ્ત્રીનું ફરી કોચ બનવું મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયાના માજી ક્રિકેટર ટોમ મુડી, ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ માઇક હેસન, શ્રીલંકાનો માજી કેપ્ટન માહેલા જયવર્ધને જેવા વિદેશી ખેલાડીઓ ઉપરાંત માજી ભારતીય ઓલરાઉન્ડર રોબિન સિંહ અને માજી ઓપનર લાલચંદ રાજપુતે પણ શાસ્ત્રીના ઉત્તરાધિકારી બનવાની ઇચ્છા દર્શાવી છે. હવે સીઍસી આમાંથી કોઇની પસંદગી કરે છે કે પછી શાસ્ત્રીને જાળવી રાખશે તેના પર બધાની નજર મંડાઇ છે.