નવી દિલ્હી : બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ફેસબુક લાઇવ દરમિયાન શાકિબ અલ હસનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શાકિબ અલ હસન 16 નવેમ્બરના રોજ કાલિ પૂજા કરવા કોલકાતા પહોંચ્યો હતો અને આ કારણોસર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
આ રીતે બાંગ્લાદેશી ખેલાડીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની આ પહેલી ઘટના છે. શાકિબ અલ હસને કાલી પૂજાને ફેસબુક પર લાઈવ કરી હતી અને આ દરમિયાન એક વ્યક્તિએ ખેલાડી સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ વ્યક્તિની ઓળખ મોહસીન તરીકે થઈ છે. મોહસીન નામના આ વ્યક્તિએ શાકિબને મારવા ઢાકા પહોંચવાની વાત પણ કરી છે. જોકે, સિયાહેટના એડિશનલ ડેપ્યુટી કમિશનરે સલામતી માટે શાકિબને સંપૂર્ણ વિશ્વાસ આપ્યો છે.
સિયાહેટના બીએમ અશરફ ઉલ્લાહ તાહરે કહ્યું છે કે શાકિબને ધમકી આપનાર વ્યક્તિ સામે કાર્યવાહી શરૂ થઈ છે. ઉલ્લાહ તાહેરે કહ્યું છે કે આ મામલે કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
આ મામલે ફેસબુક પહેલેથી જ કાર્યવાહી કરી ચૂક્યું છે. ફેસબુકે તેના પ્લેટફોર્મ પરથી મોહસીનની ટિપ્પણીને દૂર કરી છે.