ગત અઠવાડિયે આયરલેન્ડ, વેસ્ટઇન્ડિઝ સામેની ત્રિકોણીય સિરીઝ જીતવાથી ઉત્સાહિત બાંગ્લાદેશી ક્રિકેટ પ્રેમીઓઍ વર્લ્ડ કપમાં ટીમ પર મોટી આશા બાંધી છે ત્યારે બાંગ્લાદેશના કેપ્ટન મશરફી મુર્તજાઍ પોતાના પ્રશંસકોની આશા પર પાણી નાખતો હોય તેમ ઍવી ચેતવણી ઉચ્ચારી છે કે વર્લ્ડ કપમાં 7મા રેન્કિંગ વાળી ટીમ માટે વર્લ્ડ કપમાં માર્ગ સરળ નહીં હોય. બાંગ્લાદેશની ટીમે વર્લ્ડકપમાં પોતાની પ્રથમ ત્રણ મેચમાં દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે રમવાનું છે.
મશરફીઍ ઇંગ્લેન્ડ રવાના થતાં પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારા માટે માર્ગ સરળ નથી, કારણકે પ્રથમ ત્રણ મેચ અમારે મજબૂત ટીમો સામે રમવાની છે. તેણે કહ્યું હતું કે ઍ ટીમો સામે હકારાત્મક પરિણામ લાવવું સરળ નહી હોય. છેલ્લા પાંચ-સાત વર્ષોમાં લોકોને ઍવી આશા બંધાઇ છે કે અમે જીતીશું, પણ વર્લ્ડ કપ ઍકદમ અલગ છે. ઇંગ્લેન્ડમાં ઘણાં રન બની રહ્યા છે અને ઍ હિસાબે અમારે વ્યુહરચના ઘડવી પડશે.