બાંગ્લાદેશે શ્રીલંકા સામે આ મહિનાના અંતે રમાનારી 3 મેચની વનડે સિરીઝમાંથી પોતાના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને આરામ આપ્યો છે. આ સિવાય બેટ્સમેન લિટન દાસે અંગત કારણોસર પોતે ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું છે. આ બંનેના સ્થાને ટીમમાં સ્પિનર તાઇઝુલ ઇસ્લામ અને ટોપ ઓર્ડરના બેટ્સમેન અનામુલ હકની પસંદગી કરવામાં આવી છે.
કેપ્ટન તરીકે મશરફી મોર્તઝાને જાળવી રખાયો છે. વર્લ્ડકપની ટીમમાં સામેલ ઍવા અબુ ઝાયેદને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. તે વર્લ્ડકપમાં ઍકપણ મેચ રમી શક્યો નહોતો. બાંગ્લાદેશની ટીમ કોલંબોમાં 26, 28 અને 31 જુલાઇઍ 3 વન ડે રમશે.
શ્રીલંકા પ્રવાસ માટેની બાંગ્લાદેશની વન ડે ટીમ : મશરફી મોર્તઝા (કેપ્ટન), તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, અનામુલ હક, મહંમદ મિથુન, મુશ્ફીકર રહીમ, મહમુદુલ્લાહ, મોસાદ્દેક હોસેન, શબ્બીર રહેમાન, મહેંદી હસન, તાઇઝુલ ઇસ્લામ, રુબેલ હોસેન, મહંમદ સૈફુદ્દિન, મુસ્તફિઝુર રહેમાન.