કલકત્તા, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પ્રમુખ અને દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં ભરતી કરાયા છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ કલકત્તાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને ત્યાં તેમની સારવાર થઇ રહી છે.
નોંધનિય છે કે થોડાંક દિવસ પહેલા જ સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના લીધે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટરને હૃદયમાં સાધારણ દુખાવો થયા તેમની પ્રારંભિક એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
ચાલુ જાન્યુઆરી મહિનામાંજ ગત બે તારીખના રોજ સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવા થયા બાદ તેમને કલકત્તાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંયા તેમને પાંચ દિવસ રાખ્યા બાદ 7 જાન્યુઆરીએ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પાછલી વખતે સૌરવ ગાંગુલી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. સૌરવ ગાંગુલીને એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો કારણ કે