દિલ્લી: દક્ષિણ આફ્રિકા સામે રમાનાર ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. BCCIએ સોમવારે વિરાટ કોહલીની આગેવાનીમાં 17 સભ્યોની જાહેરાત કરી હતી. જેમાં પાંચ ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના પાંચ ખેલાડીઓનો એકસાથે ભારતની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે.
ગુજરાતી ક્રિકેટર્સમાં ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા, હાર્દીક પંડ્યા, પાર્થિવ પટેલ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. બુમરાહનો પ્રથમ વખત ટેસ્ટમાં સમાવેશ કરાયો છે. જ્યારે પાર્થિવે એક વર્ષ પછી ટીમમાં પુનરાગમન કર્યું છે. પાર્થિવ છેલ્લે ડિસેમ્બર 2016માં રમ્યો હતો. ભારત આવતા વર્ષે 5 જાન્યુઆરીથી કેપ ટાઉનમાં પ્રથમ ટેસ્ટ રમી અભિયાનનો પ્રારંભ કરશે. દક્ષિણ આફ્રિકામાં પ્રવાસમાં ભારત ત્રણ ટેસ્ટ, 6 વન-ડે અને 3 ટી20 મેચ રમશે.
શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં વિરાટને આરામ
શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટ્વેન્ટી20 માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરાઈ હતી. જેમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. રોહીત શર્માને સુકાની બનાવવામાં આવ્યો છે.
શ્રીલંકા સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (સુકાની),લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દિપક હુડા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, બાસિલ થમ્પી, જયદેવ ઉનડકટ.
ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (સુકાની), મુરલી વિજય, લોકેશ રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા,અજિંક્ય રહાણે (ઉપ-સુકાની), રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), પાર્થિવ પટેલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ.