22 ઓક્ટોબરથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરીઝની શરૂઆત થઇ રહી છે. જેને પગલે આજે ભારતીય ક્રિકેટ બોર્ડે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં આશ્ચર્યજનક લોકેશ રાહુલને તક આપવામાં આવી નથી. તો મોહમ્મદ શમી અને ઉમેશ યાદવને પણ આરામ અપાયો છે. ટીમમાં શર્દુલ ઠાકુર, દિનેશ કાર્તિકને સમાવાયો છે.
ન્યુઝીલેન્ડ સામેની ભારતની વન-ડે ટીમ આ પ્રમાણે છે:
વિરાટ કોહલી(સુકાની), રોહીત શર્મા, શિખર ધવન, અજિંક્ય રાહણે, મનીશ પાંડે, કેદરા જાધવ, દિનેશ કાર્તિક, ધોની, હાર્દીક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને શર્દુલ ઠાકુર.