સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી સહિતના ઘણાં ક્રિકેટરો સામેના હિતોના ટકરાવનો મુદ્દો ફરી ઍકવાર સામે આવ્યો છે, કારણકે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા આ ક્રિકેટરોને આઇપીઍલ અથવા કોમેન્ટ્રી બેમાંથી ઍકની પસંદગી કરવા જણાવ્યું છે. તેંદુલકર, ગાંગુલી સહિતના ઘણાં ક્રિકેટર હાલમાં વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરી રહ્યા છે અને આઇપીઍલમાંં તેઓ તમામ અલગઅલગ ભૂમિકા ભજવે છે.
હાલના વર્લ્ડ કપમાં સચિન, સૌરવ, વીવીઍસ લક્ષ્મણ, મહંમદ કૈફ વગેરે કોમેન્ટ્રી ટીમનો હિસ્સો છે. આઇપીઍલમાં સચિન મુંબઇ ઇન્ડિયન્સ સાથે, સૌરવ અને કૈફ દિલ્હી કેપિટલ્સ સાથે જાડાયેલા છે જ્યારે લક્ષ્મણ સનરાઇઝર્સ હૈદરાબાદનો મેન્ટર છે, તો હરભજન ચેન્નઇ સુપર કિંગ્સ સાથે ખેલાડી તરીકે જાડાયેલો છે. બીસીસીઆઇના ઍથિક્સ ઓફિસર જસ્ટિસ ડી કે જૈનને આંતરિક હિતોના ટકરાવ માટે ફરિયાદ કરી છે. તેમણે ફરી ઍકવાર માજી ક્રિકેટરોની બેવડી ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા છે.