મુંબઇ : બેલ્જિયમના કિંગ ફિલિપ અને ક્વીન મૈથિલ્ડે સાત દિવસના ભારતના પ્રવાસે છે. તેઓ રવિવારે દિલ્હીની મુલાકાતે હતા. મહત્વની વાત એ છે કે આ શાહી દંપતિએ આ પ્રવાસનો ખૂબ જ આનંદ ઉઠાવી રહ્યો છે. શુક્રવારે મુંબઇમાં ઓવલ મેદાનમાં ફિલિપ અને મૈથિલ્ડે બાળકો સાથે ક્રિકેટ રમ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી. રસપ્રદ વાત એ છે કે તેમની સાથે પૂર્વ ઓપનર ખેલાડી વીરેન્દ્ર સહેવાગ પણ હાજરી આપી હતી.
વિરેન્દ્ર સહેવાગે પણ બાળકો સાથે ક્રિકેટ રમ્યો હતો. અહીં ફિલિપ અને મૈથિલ્ડે બાળકો સાથે ક્રિકેટ રમવામાં લગભગ બે કલાક સમય ગાળ્યો હતો. જેમાં ફિલિપ અને મૈથિલ્ડે બન્નેએ બેટીંગ કરીને ક્રિકેટનો વધુ આનંદ માળ્યો હતો.
બેલ્જિયમના આ શાહી દંપતિ ભારતમાં બે દેશો વચ્ચેનો સહયોગને વધારવાના ઉદ્દેશ સાથે ભારતના પ્રવાસે છે. જેમાં વ્યાપાર અને રોકાણ સંબંધોને મજબુત કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભવ્ય સ્વાગત બાદ બેલ્જિયમના રાજા ફિલિપે કહ્યું હતું કે અમે ભારતને ઘણો પ્રેમ કરીએ છીએ. અને અહીં અમારા ઘણા મિત્રો છે. 2013માં કમાન સંભાળ્યાના બાદ રાજા ફિલિપની આ ભારતની પહેલી સત્તાવાર યાત્રા છે. આ પહેલા આ શાહી દંપતિએ સોમવારે તાજમહલની મુલાકાત લીધી હતી.